SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ઉદયાધિકાર પદાર્થસંગ્રહ ઉદય :- અબાધાકાળ પૂર્ણ થયે છત કે અપવર્તન વગેરે કરણોથી ઉદયસમયમાં આવેલા બંધાયેલા કર્મદલિકોને ભોગવવા તે ઉદય છે. ઉદયના ભેદ, સાદ્યાદિ પ્રરૂપણા, સ્વામિત્વ વગેરે ઉદીરણાની જેમ જાણી લેવા, કેમકે ઉદય અને ઉદીરણા પ્રાયઃ સાથે જ થાય છે. ઉદયના ચાર પ્રકાર છે - પ્રકૃતિઉદય, સ્થિતિઉદય, રસઉદય, પ્રદેશઉદય. (1) પ્રકૃતિઉદય 41 પ્રકૃતિઓ સિવાયની પ્રકૃતિનો જ્યાં ઉદય હોય ત્યાં તેમની ઉદીરણા હોય છે અને જ્યાં તેમની ઉદીરણા હોય છે ત્યાં તેમનો ઉદય હોય છે. 41 પ્રકૃતિઓના ઉદય-ઉદીરણામાં ભેદ છે. તે આ પ્રમાણે છે - (1) મિથ્યાત્વમોહનીય :- પ્રથમ ઉપશમસમ્યકત્વ પામતી વખતે ૧લા ગુણઠાણે પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વમોહનીયનો માત્ર ઉદય હોય, ઉદીરણા ન હોય. તે સિવાય સર્વત્ર મિથ્યાત્વમોહનીયના ઉદય-ઉદીરણા સાથે હોય. (2) વેદ 3 :- ૯મા ગુણઠાણે તે તે વેદની પ્રથમસ્થિતિની
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy