SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં ઉદીરણાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 107 ૨૧નું, ૨૨નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું, ૩૨નું - આ 8 ઉદીરણાસ્થાનકો કેવળીના છે ભૂયસ્કાર ઉદીરણાસ્થાનકો-૪ :- ૨૧ના, ૨૨ના, ૨૯ના, ૩૦ના ભૂયસ્કાર ઉદીરણાસ્થાનકો સંભવતા નથી. ૨૭ના, ૨૮ના, ૩૧ના, ૩રના ભૂયસ્કાર ઉદીરણાસ્થાનકો સંભવે છે. તે આ પ્રમાણે - (1) અતીર્થકર કેવળીને સમુદ્યામાં કાર્મણકાયયોગમાં ૨૧નું ઉદીરણાસ્થાનક હોય અને ઔદારિકમિશ્રકાયયોગમાં ૨૭નું ઉદીરણાસ્થાનક થાય તે પહેલું ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. (2) તીર્થકર કેવળીને સમુઘાતમાં કાર્મણકાયયોગમાં ૨૨નું ઉદીરણાસ્થાનક હોય અને ઔદારિકમિશ્નકાયયોગમાં ૨૮નું ઉદીરણાસ્થાનક થાય તે બીજુ ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. (3) અતીર્થકર કેવળીને સમુદ્ધાતમાં ઔદારિકમિશ્રકાયયોગમાં ૨૭નું ઉદીરણાસ્થાનક હોય અને સ્વભાવસ્થ થયા પછી ૩૧નું ઉદીરણાસ્થાનક થાય તે ત્રીજુ ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. તીર્થકર કેવળીને સમુદ્યાતમાં ઔદારિકમિશકાયયોગમાં ૨૮નું ઉદીરણાસ્થાનક હોય અને સ્વભાવસ્થ થયા પછી ૩૨નું ઉદીરણાસ્થાનક થાય તે ચોથું ભૂયસ્કાર ઉદીરણાસ્થાનક છે. અલ્પતર ઉદીરણાસ્થાનક-૭ :- ૩૧નું, ૩૦નું, ૨૯નું, ૨૮નું, ૨૭નું, ૨૨નું, ૨૧નું. (૩૨નું અલ્પતર ઉદીરણાસ્થાનક સંભવતું નથી.) તે આ પ્રમાણે - (1) સ્વભાવસ્થ તીર્થકર કેવળીને ૩રનું ઉદીરણાસ્થાનક હોય અને
SR No.032797
Book TitlePadarth Prakash 13 Karm Prakruti Udayadhikar Sattadhikar
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy