SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ર નિષધપતિ ગયેલા ખડગી વિદ્યાધરે બૃહદ્રથ રાજાના સૈન્યને સર્પન્ન દ્વારા ભારે વ્યાકુળ બનાવી દીધું. રાજા બૃહદ્રથ જે કંઈ પ્રહારો કરતો હતું. તે સઘળા વિદ્યાના બળ સામે સમાઈ જતા અને તે સસ્ટને પ્રતિકાર ઉપાય જાણ નહોતા. આથી વિદ્યાધરાના રવામી બલિરાજ, ગરુડને વરદાનથી ગર્વિષ્ઠ બનેલા મહાબલને લઈ આવ્યા. મહાબલ સાથે કેશિનીને તરત પરણાવી દીધી અને ખડગી વિદ્યાધર સાથેના સંગ્રામમાં મહાબલને સેનાપતિના પદે પ્રતિષ્ઠિત કર્યો. ગરુડે આપેલાં વિષહરવસ્ત્રો ધારણ કરેલા મહાબલે શત્રુનું સર્પાસ્ત્ર નિષ્ફળ બનાવ્યું...પછી યુદ્ધ ખૂબ જ ઝડપી બન્યું અને રાજા બૃહદ્રથે ખડગીને મારી નાખી તેનું સમગ્ર રાજ્ય પિતાને હસ્તગત કરી લીધું. ખડગી વિદ્યાધરને પાઉં નામને એક પુત્ર રાજ્યભ્રષ્ટ થવાથી મહાબલના વધની ઈચ્છાએ વિદ્યાની સાધના કરવા બેસી ગયો. દેવી તેના પર પ્રસન્ન થયાં અને એક પુરુષને વધ કરે એવો નાગપાશ આપે. આવું દિવ્ય શસ્ત્ર પ્રાપ્ત કરીને તે મહાબલ પાછળ પડે અને એક વનમાં વિહાર કરી રહેલા મહાબલ ર કટક નામને નાગપાશ પાકુમારે છે. કમનસીબે મહાબલ આ સમયે ગરુડે આપેલાં વસ્ત્રોથી વિહીન હતો. કારણ કે તેણે પોતાનાં દિવ્ય વસ્ત્રોને દાબડે પિતાની પત્નીને સુપરત કર્યો હતો. મહાબલકુમાર નાગપાશ વડે બંધાઈ ગયો. તેના સુભટના ભયથી પાર્થ તરત નાસી ગયે. મહાબલ ભારે મુંઝાયો.તેણે પિતાના સાથીને કહ્યું: “મને જલદી મારી પત્ની પાસે લઈ જાઓ.ગરુડે આપેલા મારાં વસ્ત્રો તેની પાસે પડયાં છે.” આમ કહ્યું એટલે તેના સાથીઓ મહાબલને લઈને કેશિનીના ભવન તરફ ચાલવા માંડયા... પરંતુ કેશિની ભેજના તે આડે પડખે પડી હતી અને થેડી જ વારમાં તે નિદ્રાધીન બની ગઈ હતી. મધ્યાહને થોડી વારે સૂઈ રહેવાની તેને આદત
SR No.032775
Book TitleNishadh Pati
Original Sutra AuthorN/A
AuthorMohanlal Chunilal Dhami
PublisherNavyug Pustak Bhandar
Publication Year1979
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy