SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના દેશનાનથી. તે વિચાર ન આવે અને ભવમાં ભમવાના સાધનમાં વિચાર આવે મારું શું ? એ વિચાર ન આવે. આવતા ભવે હાજર રહે તેવી કઈ ? હજુ તે મરણની ભીંતમાં કાણું પાડ્યું નથી કે–આગળ જોઈ શકાય. જેણે મરણની ભીંતમાં કાણુ પાયું નથી તે આગળ ક્યાંથી જોઈ શકે? મરણ પછીની વિચ - રણ કરી નથી, તેવા મનુષ્યને આવતા ભવને વિચાર ન આવે. અને એ વિચાર ન આવે તે “આવતા ભવમાં શું રહેશે? મારું શું ?" એ વિચાર કયાંથી આવે? પૂણ્ય પાપ બે જ સાથે આવવાના છે, છતાં તે બને પણ આત્માના નથી ! એ તે “ખેતરમાં ખેતી થઈ. ઊગ્યું છતાં ઊનાળે આવ્યું કેસૂકાઈને સાફ જેવું થયું ! તેમ પૂછ્યું કે પાપ આત્મામા ફળ દઈ દે કે વિદાય લે. પુણ્ય અને પાપ એ બંને વસ્તુ શુભાશુભ ફળ દીધા પછી ટકવાવાળી ચીજ નથી. હંમેશાં ટકવાવાળી ચીજ કઈ ? કચનાદ આગલા ભવે ન આવનારી ચીજો, પુણ્ય-પાપ આગળ ચાલી જનારી ચીજ, તે ટકનારી ચીજ કઈ ? સર્વકાળ માટે આત્મામાં રહેવા વાળી ચીજ કઈ? આત્માના ઘરની ચીજ કઈ ? આત્માને અંગે વિચાર કરવાની હજુ આત્માને ફૂરસદ નથી. આંખ ચાર છતાં અપલક્ષણવાળી. આંખ, રતન કહેવાય. ઉપયોગી–જરુરી કહેવાય. આંખ વગરનાને આંધળે કહેવાય તેટલે તિરસ્કાર બહેરા, મુંગાપણમાં નથી, પણ તેમાં જબરજસ્ત અપલક્ષણ છે. આખા જગતને દેખે પણ પિતાને ન દેખે. પિતાના રક્ષણ માટે આંખે પડદો રાખે. બીજી ઈન્દ્રિએ પિતાના રક્ષણ માટે પડદો રાખે નથી. બાપને કે પિતાને ભસે આંખ ન કરે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy