SearchBrowseAboutContactDonate
Page Preview
Page 954
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ બેંતાલીસમી [39 કેવળ અને મેક્ષ એ જૈનધર્મનું સાધ્ય હેવાથી પિતે વીતરાગ-સર્વજ્ઞ થાય પછી ધર્મનાં ફળનું દૃષ્ટાંત પ્રત્યક્ષ બને છે. પિતે વીતરાગ કેવળી થયા, તે ધર્મના પ્રતાપથી. દરેક તીર્થકરેને અંગે એક નિયમ. ગણધરે દ્વાદશાંગી ગૂંથી અર્થ નિરૂપણ કરે. તે વખતે પ્રથમ અંગના છેલ્લા ભાગમાં ચરિત્ર તેમનું હોય કે-જે તીર્થકરની દ્વાદશાંગી હોય–જેનું શાસન હોય, તેથી આચારાંગમાં મહાવીરનું ચરિત્ર વર્ણવ્યું. સાધુ પણું લઈને કેવળજ્ઞાન મેળવ્યું તે વચ્ચેની ધર્મકાયની અવસ્થાકર્મકા–ધર્મકાય–તત્ત્વકાય. અંગના અંતમાં નવમા અધ્યયન તરીકે તીર્થકરની ધર્મકાયનું વર્ણન હોય જે વર્ણન કરવામાં આવે તે કેવળ ધર્મકાય અવસ્થામાં—એ ધર્મકાય અવ-- સ્થા, આખા શાસનને દષ્ટાંતરૂપ. આ માટે પિતે છદસ્થપણુંમાં દેશના આપતા નથી, છદ્મસ્થપણામાં ફળ ન જણાવી શકે. આ વીતરાગાણું, સર્વજ્ઞાપણું પિતાનામાં આવ્યું તે ધર્મનું ફળ પ્રત્યક્ષ છે. તે માટે તીર્થકર જે દેશના દે, તે વીતરાગ અવસ્થામાં દે. સરાગ અવસ્થામાં કંઈપણ નિરૂપણ કરે તે શાસનના સંબંધમાં ન આવે. શ્રીનેમનાથજીએ રથ વાળતી વખતે “હિંસાનું આવું ફળ છે.” એ વગેરે કહ્યું, તે દેશનામાં ન ગણાય. મલ્લિનાથજીએ દીક્ષા લીધા પહેલાં મિત્રોને જે વચને કહ્યાં તે, મહાવીર ભગવાનને સ્વાતિ નામના બ્રાહ્મણ સાથે વાતચીત થઈ તે દેશનારૂપે નથી; સામાન્ય વાર્તાલાપ રૂપે છે. તમે સરાગ અને વીતરાગ અવસ્થામાં– બંનેમાં દેશના દેતા હો તે ફિકર નથી, પણ તીર્થકરને માટે તે નિયમ છે કે–વીતરાગ થયા પછી જ ધર્મદેશના. વીતરાગપણ પછી આત્મદશા.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy