SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના 30] દેશનાછે. એવી કઈ ચીજ છે કે જે મેળવ્યા પછી મેલવી ન પડે? કંચત. અબજો પાઉન્ડ મેળવે, તે પણ જતી વખતે મેલી દેવાતા! સેંકડે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, છતાં મરતી વખતે મેલી દેવાનાં! યાદવે પિઠે કરડેનું કુટુમ્બ હેય, તે પણ મરતી વખતે મેલી દેવાનું! હાથી જેવડું મરું શરીર હેય તે પણ મરતી વખતે તે મેલી દેવાનું ! કુટુમ્બાદિક કે–જે જિંદગીની મહેનતે મેળવાય છે, તે ચીજો અંતે મેલી દેવાની, એટલે શું થયું ? જિ દગીની મહેનતને અંતે સરવાળામાં શૂન્ય! તમારી જિંદગીને હિસાબ કરે. સરવાળામાં શૂન્ય આવે કારણ? સરવાળે શૂન્ય આવવાનું કારણ એક જ કે આપણે રખડતી પ્રજા, અને ચીજ મેળવી નીકાશના પ્રતિબંધવાળી. આપણે એટલે ભટક્તી રખઠતી પ્રજા. લુવારિયા જેવી રખડતી પ્રજા જેવા આપણે છીએ. લુવારીયા પાંચ દહાય અહીં, પાંચ દહાડા તહીં. સ્થિર રહેવાવાળી જાત નહીં. આ આત્મા પણ ભટક્તી ચીજ, પહેલે ભવે કયાં હતા? તે પહેલાં ક્યાં હતા? આવતે ભવે ક્યાં જઈશું? ભભવ જુદે જુદે સ્થાને ભટકવાવાળા, એથી આપણેય ભટક્તી જાત. લુવારીયા ભટકતી જાત ખરી પણ તેમાં એક વસ્તુ સારી છે કે જ્યાં જાય ત્યાંથી મેળવેલી મીલક્ત સાથે લઈ જઈ શકે છે. તે કંચન, કમિની, કુટુમ્બ, કાયા સાથે લઈ જઈ શકે છે. માલને સાથે લઈને ભટકવાવાળી પ્રજા છે. જ્યારે આપણે માલ મેલીને ભટકવાવાળી પ્રજા છીએ. દરેક જન્મમાં આ જીવ, આહાર-શરીર-ઇન્દ્રિયને વિષય એ ચારે વસ્તુ મેળવે. જાનવરના ભાવમાં પણ મેળવે પરંતુ તે ચારેય વસ્તુની નિકાશને પ્રતિબંધ હોવાથી તે મેળ
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy