SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર વિશુદ્ધ દર્શનને પ્રાપ્ત થએલે શુદ્ધાશયવાળો જીવ દુઃખી, મોહરૂપ મોટાં કાષ્ઠો વડે પ્રજવલિત થએલા કર્મરૂપ અગ્નિમાં બળતા, અશરણ એવા ત્રણ ભુવનના પ્રાણીઓને જોઈને આત્મિક ગુણના આવરણથી દુ:ખવડે ઉદ્વિગ્ન થએલે, અચલિત તત્ત્વની શ્રદ્ધાવાળે, આસવની નિવૃત્તિ અને સંવરની તન્મયતાની પ્રતિજ્ઞા ઉપર આરૂઢ થઈને તેને દઢ કરવા માટે મહાવ્રતની પચીસ ભાવનાઓ વડે અન્તરાત્માને વાસિત કરનાર, બાર ભાવનાઓ વડે અધ્યવસાયને સ્થિર કરનાર, પૂર્વ કર્મની નિર્જર અને નવીન કર્મના નહિ ગ્રહણ કરવા વડે પ્રગટ થએલ સ્વરૂપ સંપત્તિના અનુભવમાં મગ્ન થએલ મહાત્મા સુખી હોય છે. એ હેતુથી શાસ્ત્ર શ્રવણ, વિભાવ પરિણતિને ત્યાગ, તત્ત્વને વિચાર અને આત્મતત્તવમાં એકાગ્રતા વગેરે ઉપ વડે સ્વરૂપાનુભવમાં મગ્ન થવા ગ્ય છે. સંસારને વિશે કમલેશની પરંપરા જાણીને સંસારથી ઉદ્વિગ્ન થઈને વૈરાગ્યમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં આત્મસ્વરૂપના આવિર્ભાવના કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્રમાં વર્તવા યોગ્ય છે. 3 स्थिरताष्टक वत्स किंचञ्चलस्वान्तोभ्रान्त्वा भ्रान्त्वा विषीदसि। निधि स्वसन्निधावेव स्थिरता दर्शयिष्यति // 1 // 1 =હે વત્સ! મિ=કેમ. રીચન્ટસ્વાન્ત =ચંચલ અન્તઃકરણવાળો. પ્રારત્વ પ્રા=ભમી ભમીને. વિલી=બેદ પામે છે. નિર્ષિક નિધાનને સ્વસન્નિધૌ પોતાની પાસે રહેલા. gવ=જ. સ્થિરતા=સ્થિર પણું. થિથતિ=બતાવશે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy