SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના . . . . . . 224] દેશનાદમણ ગયા હશે ? જૂનું ને નવું દમણ છે. વચમાં ખાડી છે બે ભાગે શહેર છે. શેઠ બીજા શહેરમાં જવા હિડીમાં બેઠે. શેઠને ખલાસીએ પૂછ્યું-કેટલા વાગ્યા છે? ઘડીયાળ બતાવ્યું. જે. ખલાસી કહે-હું જોતાં શીખ્યો નથી. એ બે આંકડા વાંચતા આવડતા નથી. તેવામાં ટાવરમાં ટકારા વાગવા માંડ્યા. શેઠે કહ્યું–ગણ. ખલાસી કહેગણતાં શીખે નથી. શેઠે કહ્યું–તારી અડધી જિંદગી એળે ગઈ એવામાં વચમાં ખડક આવ્યું. ખલાસીએ કહ્યું-શેઠજી ! તરતાં આવડે છે?” શેઠે ના કહી. ખલાસીએ કહ્યું-તે સમજે કેતમારી તે આખીયે ગઈ. વહાણ ડૂખ્યું અને શેઠ તરવાનું ન જાણે તેથી શેઠની આખી જિંદગી ગઈ ! વેપારી હતી ભણ્યું હતું છતાં જિંદગી ગુમાવી કેમ? તરવાની આવડત વિના. એમ આપણે ભવમાં-સંસારમાં વહી રહ્યા છીએ તે વખતે વિદ્યા-તપ-દાન–શીલ મેળવ્યાં, પણ તરવાનું સાધન ધર્મ ન મેળવ્યો હોય તે શું થાય? શેઠે તરવાનું ન જાણતા હોવાથી બધું ગુમાવ્યું. તમારી આવતા ભવની બેંક કેણ? અહીંનું કરેડોનું નાણું, સ્ત્રીઓ ગમે તેટલી હોય તે ત્યાં ચેક સ્વીકારે તેમ નથી. પર્વત જેવડી કાયા હોય તે પણ ત્યાં નહી સ્વીકારાય. ત્યાં ઓફિસ કેની છે? કંચન કામિની આદિની ઓફિસ નથી. માત્ર ધર્મ કે પુણ્યની ઓફિસ છે. તેને ચેક ન લીધે હેય તે ભલે તમે દાન વર્તન રાખનાર હોય છતાં પણ તરી શકે નહીં, માટે કહે છે કે “જેને વિદ્યા ન હેય તપ, દાન, શીલ ન હય, ગુણ ન હોય, ધર્મ પણ ન હોય તે મનુષ્યભવમાં માત્ર ભારભૂત છે. મનુષ્યના વેષથી સૂગલાઓ જગતમાં ચરે છે.” દરેક જ બે તાંતણે બંધાય
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy