SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ. પાંચમી [43 વિજ્ઞની સંભાવના રાખી, તે વિનને દૂર કરી કાર્ય કરવાનું હોય છે. કાલા માઈનકાર્યની સિદ્ધિ કાણાધીન છે. મુશીબતેને દૂર કરે તે કાર્ય નિશ્ચય. જે કારણથી કાર્ય બને તે કારણે નિશ્ચિત કરવાં જોઈએ તેવી જ રીતે કાર્યસિદ્ધિના સાધનેને નિશ્ચય કર જોઈએ. સાધનને નિશ્ચય કર્યા વગર કાર્ય કરવા દેડ્યો જાય, તે પંજાબ જવાની ઈચ્છાવાળા મદ્રાસની ગાડીમાં બેસે તેવું થાય. ગાડીમાં બેઠે, રેલ ચાલી, મુસાફરી કરી પણ હવે ડબલ ભાડું આપી ફરી મુસાફરી કરે ત્યારે પંજાબ પહોંચે. સાધને નક્કી કર્યા છતાં તેની રચના, અમલ નક્કી થાય તે ડબલ મુસીબતમાં મૂકવું પડે. તે માટે કહે છે કે-જગતમાં કાર્ય કરનારને નિશ્ચય, તેનાં સાધને, તેને અમલ વગેરે પ્રથમ કરવું જોઈએ. તે વગર કાર્યસિદ્ધિ ન થઈ શકે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે–દુનિયાની વાત વિવાદ વગરની લાગતી હોય તે ત્રણ વાત જ હું કહેવા માંગું છું. દાનનું ખરું રહસ્ય. જેમ દાન શબ્દથી જગતમાં કેણ અજાયે છે? પરંતુ દાનનું રહસ્ય જેણે વિચાર્યું હોય તેને દાનની અપૂર્વવા માલમ પડે. દાનનું રહસ્ય હતું પરને ઉપકાર કરનાર હું બનું, પરના ઉપકાર માટે મારી વસ્તુને ભેગ આપું. એ પ્રથમ વાસના–નિશ્ચય થાય તે દાન આપે. ઉમાસ્વાતિજી કહે છે કે અનુરાઈ તિજ પર બીજાના ઉપકાર માટે પિતાની વસ્તુને ભેગ આપ–અર્પણ કરવી તે દાન. કેઈને કહીએ કે–દસ શેર દહીં લાવજે, દહીંની મટકી લાગે. મટકી મંગાવી ન હતી. દહીં મંગાવ્યું હતું. મટકી મંગાવી ન હતી તેમ કહે તે મૂર્ખ ગણાય. દહીં લાવવાની વાત થઈએટલે
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy