SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ મસાષ્ટક સહજાનમાં મગ્ન થએલા અને જગતના તત્વનુંસ્યાદવાદ વડે શુદ્ધ સ્વરૂપનું પરીક્ષણ કરીને અવલોકન કરનાર આત્માને અન્ય ભાનું-પોતાના આત્માથી લિન બીજા પદાર્થોનું કર્તાપણું નથી, પણ સાક્ષીપણું બાકી રહે છે. માટી વગેરે ભાવે ઘટાધિરૂપે પરિણમે છે તેમાં કુંભાર વગેરે સાક્ષી માત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે અમે ઘટાદિ પદાર્થના કર્તા છીએ. તેવી રીતે ભાષાવર્ગણાવ્ય વર્ણપણે, વર્ણ પદપણે, પદ વાકયપણે, વાગ્યે મહાવાક્યપણે અને મહાવાક્ય ગ્રન્થપણે પરિણમે છે, તેમાં ગ્રન્થકાર સાક્ષી માત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે “હું ગ્રન્થકર્તા છું. સર્વ દ્રવ્ય સ્વ સ્વ પરિણામના કર્તા છે, પર પરિણામને કઈ કર્તા નથી. એ ભાવનાએ અન્ય ભાવોનું કર્તાપણું નથી, પણ સાક્ષીપણું છે. સ્વાભાવિક-એકાન્તિક અને આત્યન્તિક (શાશ્વત) આનન્દમાં મગ્ન-તન્મય થએલા અને જગત-લકના તત્ત્વધર્મને યથાર્થપણે અવલોકન કરનારા–દેખનારા પુરુષને અન્ય ભાવનુંરાગાદિ વિભાવનું, જ્ઞાનાવરણદિ કર્મોનું અને ઘટપટાદિ બાહ્ય કન્વેને લેવા મૂકવામાં કર્તાપણું નથી, પણ આત્માને જ્ઞાયક સ્વભાવ હોવાથી સાક્ષીપણું છે. કર્તાપણું એટલે એક પિતાના આશ્રમમાં રહેલી ક્રિયાનું કરવું. એ હેતુથી જીવ પિતાના આશ્રિત ભાવને કર્તા છે, સ્ત્રાવોન =જગતના તત્વને-સ્થાવાદથી શુદ્ધ સ્વરૂપને જેનાર યોગીને. ત્રકર્તાપણું, ર=નથી. માવાનામુ=અન્યભાવોનું. સાત્વિક સાક્ષાત દ્રષ્ટાપણું મારા બાકી રહે છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy