SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ્રહ. પહેલી [3 તેની નકલે હેય છે. એક વસ્તુથી ઘણું વસ્તુ આવે, તે તે વસ્તુ કિંમતી હેય એક રૂપિયાના 16 આના આવે તે રૂપિયે કિંમતી. એક ધર્મથી શું શું મળે છે? મનુષ્યપણું, નિગીપણું આદિ તમામ ધર્મથી મળે છે, તે ધર્મ કિંમતી છે. તે ધર્મની નકલે જગે જગે પર ઘણી મળવાની. જેની વધારે નકલે છે તે જ કહી આપે છે કે આ ધર્મ વસ્તુ કિંમતી છે. ધર્મ કિંમતી છે તે જ તેની નક્લ ઘણું થવાની. હવે જૈન ધર્મ અસલ કે ન તેને શે પુરા ? આપણે દરેક ધર્મવાળાને પૂછીએ કે ધર્મ કરાય છે શા માટે? તે સર્વ ધર્મવાળાઓને આ વાત શરાબર કબૂલ છે, કે ધર્મ આત્મકલ્યાણ માટે જ કરવામાં આવે છે. સર્વ એ વાતને તે મંજૂર કરવાના કે ધર્મ આત્મકલ્યાણ માટે જ કરાય છે, તે કલ્યાણ શામાં છે ? જંજાળ માયાના ફસામાંથી જેટલા બચાચ, ક્રોધાદિકઓછા થાય, ઈન્દ્રિયોને કબજો મેળવવામાં લ્યાણ, માનસિક વેગ પર કબજો-અંકુશ મેળવવામાં કલ્યાણુ, જ્યારે આ વાત નક્કી થઈ તે એ કયો ધર્મ છે કે જે સર્વથા ઈન્દ્રિયોના તેમજ મન, વચન, કાયાના કાબૂને આગળ કરે છે, અને કોદાદિકને મંદ કરવાના ઉપાય બતાવે છે? જિનેશ્વર મહારાજના ધર્મ સિવાય ઉપરોક્ત ભેચ કઈ રાખી શકતું નથી. બીજાઓએ પરમેશ્વર શા માટે માન્યા ? હવા-ઝાડ, પહાડ પણ બનાવી આપ્યા તેથી પરમેશ્વર માન્યા. જેને આત્મકલ્યાણનું લક્ષ્ય નથી, તેવાને દેવ માન્યા. વીતરાગ સર્વશને દેવ માન્યા હોય તે માત્ર જેને એ. પીન્ગલિક પદાર્થ આપનાર કે હારને દેવ તરીકે માન્યા નથી. વીતરાગતા, સર્વજ્ઞતા, અને ક્ષીણમેહનીયને અંશે
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy