SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર, 463 સાધુ અહંકાર અને મમત્વનો ત્યાગ કરેલો હેવાથી નિન્ય છે.” એથી જ 9 ક્રિયામાં તત્પર એટલે શાસ્ત્ર વચનાનુસાર ક્રિયાથી ઉત્તીર્ણ થઈ અસંગક્રિયાનિષ્ઠ, તેથી જ 10 આત્મસંતુષ્ટ, તેથી 11 નિર્લેપ-લેપરહિત, નિર્લેપ હોવાથી જ 12 નિસ્પૃહ-સ્પૃહારહિત, અને તેથી જ મુનિ-ભાવ મૌનવત છે. અનાદિ કાળથી પરભાવને અનન્ત વાર આસ્વાદ લેવા છતાં પણ આ જીવ તૃણાથી ઘેરાયેલો હોવાથી અપૂર્ણ– અધુરો રહ્યો છે, તે જ જીવ આત્માના રસને અનુભવ કરવા વડે આત્માના અનન્તસ્વરૂપથી પૂર્ણ થઈ આત્માના અનુભવને બાધા નહિ કરનારા સર્વ ગુણની નિષ્પત્તિમાં પૂર્ણ કહેવાય છે, માટે પૂર્ણતાના સ્વરૂપને જણાવનાર પ્રથમ અષ્ટક છે. - જે પૂર્ણ છે તે જ આત્માના પૂર્ણતાસ્વરૂપમાં મગ્ન થાય છે, એટલે આત્માના અનુભવમાં લીન થાય છે, તે જ લીનતા સ્વરૂપમાં હોય છે, પરભાવમાં લીનતા એ અનન્તા સંસાર પરિભ્રમણનું મૂળ છે. તેથી તેવા પ્રકારની મગ્નતા અનાદિ કાળથી છે, તે તજવા યોગ્ય છે. જે સ્વરૂપમાં મગ્નતા છે તે જ વાસ્તવિક મગ્નતા છે તેથી તેનું પ્રતિપાદન કરવારૂપ બીજું અષ્ટક છે. જે સ્વરૂપમાં મગ્ન છે તે જ સ્થિર હોય છે. અપૂર્ણને ગ્રહણ કરવાની ઈરછાથી ચપલતા થાય છે અને પૂર્ણને કઈ વસ્તુ ગ્રહણ કરવાની ઈચ્છા નહિ હોવાથી સ્થિરતા હોય છે તેથી સ્થિરતાઅષ્ટક કહ્યું છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy