SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનાષ્ટક પ્રાણને નાશ થાય તો પણ જે સંયમને ત્યાગ કરતે નથી, બીજાને પણ પિતાના જેવા ગણે છે અને જે પિતાના સ્વરૂપથી કદી પડતે થતું નથી. જે શીત વાયુ અને તાપ વડે સંતાપ પામતે નથી અને અમર કરનાર ગામૃતરૂપ રસાયનને પીવાને ઇચ્છે છે. જે રાગાદિ શત્રુઓને વશ નહિ થયેલા અને ક્રોધાદિથી દૂષિત નહિ થયેલા મનને આત્મામાં લીન કરે છે તથા જે સર્વ કાર્યમાં નિર્લેપ છે. જે કામગોથી વિરક્ત થઈ પિતાના શરીરને વિષે પણ નિસ્પૃહ છે અને સંવેગરૂપ હદમાં નિમગ્ન થઈને બધેય સમભાવમાં રહે છે. - જે રાજા અને રંકનું સમાનપણે કલ્યાણ કરવાની ઇચ્છાવાળે છે, અપરિમિત દયાનો ભંડાર છે અને સંસારના સુખથી પરામુખ છે. - જે સુમેરુ પર્વતના જે નિષ્કપ છે, ચંદ્રની પેઠે આનન્દ આપનાર છે અને વાયુની જેમ નિઃસંગ છે એ બુદ્ધિમાનું ધ્યાતા–ધ્યાન કરનાર પ્રશંસાને પાત્ર છે. એમ ધ્યાતાનું સ્વરૂપ કહ્યું. આવા પ્રકારને ધ્યાતા સાધકને આત્મા અન્તરાત્મસ્વરૂપ છે. પરમાત્મા એટલે જેણે ઘાતીકને ક્ષય કરે છે એવા અરિહંત અને જેણે આઠ કર્મને નાશ કરે છે એવા સિદ્ધ ભગવંત ધ્યાન કરવા ગ્ય છે. અથવા સવૃત્તિથી સત્તામાં રહેલ સિદ્ધાત્મા ધ્યાન કરવા ગ્ય છે. તથા અનન્તપર્યાયરૂપ પરમાત્માના સ્વરૂપમાં તન્મયપણે એકાગ્રતારૂપ જ્ઞાનને ધ્યાને કહેલું છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy