SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ 358 શાયાષ્ટક આ પ્રમાણે છે–જેમાં એકાતિક અને આત્યંતિક રાગ દ્વેષાદિ કલેશરહિત, નિરામય–ગરહિત પરમાત્મપદનું સાધન સ્યાદ્વાદ પદ્ધતિએ ઉપદેશ કરવામાં આવેલું હોય તે શાસ્ત્ર, તે જૈનશાસનરૂપ છે. પરન્તુ આ લોક સંબધી શિક્ષારૂપ ભારત અને રામાયણાદિ શાસ્ત્ર કહેવાતા નથી. જૈનાગમ પણ સમ્યગ્દષ્ટિરૂપે પરિણમેલ શુદ્ધ વક્તાને જ મોક્ષનું કારણ થાય છે અને મિથ્યાષ્ટિને તે સંસારનું કારણ થાય છે. નંદીસૂત્રમાં કહ્યું છે કે - "दुवालसंगं गणिपिडगं सम्मत्तपरिग्गहि सम्मसुअं, मिच्छत्तपरिग्गहियं मिच्छसुयं" // “દ્વાદશાંગ ગણિપિટક સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું તે સમ્યક કૃત અને મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું તે મિથ્યાશ્રત કહેવાય છે. પૂજ્ય જિનભદ્રગણિક્ષમાશ્રમણે કહ્યું છે કે - "सदसदविसेसणाओ भवहेऊ जहडिओवलंभाओ। નાળામાવાયો મિચ્છાતિદિન વગા” | “સદ્ અને અને વિવેક નહિ હોવાથી, સંસારનું કારણ હેવાથી, સ્વછંદપણે જાણવાથી અને જ્ઞાનનું ફળ વિરતિ નહિ હોવાથી મિથ્યાષ્ટિનું જ્ઞાન અજ્ઞાનરૂપ છે. જીવાજીવાદિ દ્રવ્યો અને તેના ગુણ-પર્યાયના જ્ઞાનપૂર્વક સર્વ આવોને ત્યાગ કરનારને પણ નિશ્ચયિક શ્રદ્ધા થવાથી સમ્યગ્દર્શન થાય છે. યથાર્થ સ્વ-પરના ભેદજ્ઞાન વડે જાણેલ સ્વરૂપના ઉપાદેય પણા અને પરસ્વરૂપના હેયપણાના વિજ્ઞાનપૂર્વક નિમિત્ત અને ઉપાદાન કારણના નિશ્ચયરૂપ શુદ્ધ અને અવિનશ્વર પિતાના સિદ્ધસ્વરૂપની પરિણતિમાં ધર્મની
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy