SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ નાક અને સમ્યક્યારિત્રની એકતા અને ધ્યાનની એકતાથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાનવાળાને ઉત્સગથી તત્વદષ્ટિ હોય છે. બધા ઉપાયના સમૂહથી તત્વમાં દષ્ટિ કરવા યોગ્ય છે, અને તેને માટે આ ઉપદેશ છે પૌગલિક અને અપૌગલિક એ બે પ્રકારની દષ્ટિ છે. તેમાં પુદ્ગલના સ્વરૂપને ગ્રહણ કરનારી દષ્ટિ એટલે ચક્ષુ શ્વેતાદિ વર્ણના ભેદવાળા રૂપને જોઈને વર્ણ, ગળ્યું, રસ અને સ્પર્શરૂપ રૂપમાં મોહ પામે છે એટલે મહાધીન થાય છે, અને રૂપરહિત કેવળ ચૈતન્યશક્તિલક્ષણ જ્ઞાનરૂપ તત્વદષ્ટિ વર્ણદિરૂપ મૂર્તધર્મ રહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મામાં મગ્ન થાય છે–આત્મસ્વરૂપમાં લીન થાય છે, માટે અનાદિની બાહ્ય દષ્ટિ તજીને સ્વરૂપના ઉપયોગમાં દષ્ટિ કરવા ગ્ય છે. 'વાદી હિબ્દમછા રવાના अभ्रान्तस्तत्त्वदृष्टिस्तुनास्यां शेते सुखाशया // 2 // બાહ્ય દષ્ટિ એ ભ્રાન્તિની વાડી છે અને બાહ્ય દષ્ટિને પ્રકાશ તે વિપર્યાસ શક્તિયુક્ત ભ્રમની છાયારૂપ છે. જેમ વિષવૃક્ષની છાયા વિષરૂપ હોય છે, તેમ બાહ્ય દૃષ્ટિને પ્રકાશ બ્રાતિરૂપ જાણ, પરન્તુ બ્રાતિ રહિત તત્વદષ્ટિવાળે એ ભ્રમરૂ૫ છાયામાં સુખની ઇચ્છાથી સૂતો નથી, 1 દિ=બાહ્યદષ્ટિ. અમાટી=બ્રાન્તિની વાડી છે. તરીક્ષ બાહ્યદષ્ટિને પ્રકાશ. અમછીયા=ભ્રાન્તિની છાયા છે. તુ=પરતુ. સમ્રાત્ત=ભ્રાન્તિરહિત. તસ્તિત્ત્વની દષ્ટિવાળો. ગર્ચા=ભ્રમની છાયામાં. ફુલારાયા=સુખની ઈચ્છાથી. રોતે સૂતો નથી.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy