SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ 256 માધ્યસ્થાપક ~~~ ~~ ~ ~~~~~~~ ~~ ~~~ વસ્તુગત સામાન્ય વડે અભેદરૂપે સર્વને સંગ્રહ કરે તે સંગ્રહ નય કહેવાય છે. તે વસ્તુની અંદર રહેલ સત્તા રૂ૫ મહાસામાન્યને ગ્રહણ કરનાર છે. જે ભવનના સંબન્યથી ભાવના ભાવત્વને (પદાર્થપણાને) સ્વીકાર કરીએ તે તે જ તેનું સંપૂર્ણ આત્મસ્વરૂપ હોવાથી ભ્રાન્તિના કારણ ભૂત ઘટાદિ ભેદની કલ્પના નિરર્થક થાય. ઘટાદિ ભેદે પણ ભવનની પ્રવૃત્તિને લીધે છે, તે તે તેનાથી ભિન્ન નહિ હેવાના લીધે પિતાના સ્વરૂપની પેઠે ભાવ જ છે એમ માનવું જોઈએ. જે ભવન–સત્તાથી ભિન્ન માનીએ તે તે ઘટાદિ ભેદે આકાશકમલની પેઠે અસત્ કરે. અથવા ખરશૃંગાદિનું સત્વ કરે. એવી આ દશનની માન્યતાથી સર્વનું નિત્યત્વ, એકત્વ અને અકારણપણના વાદે તથા કાલ, પુરુષ અને સ્વભાવાદિ વાદો ઉપસ્થિત થયા છે. અહીં દ્રવ્યાસ્તિકના ભેદરૂપ સંગ્રહ જીવ, અજીવ, ગ્યત્વ, સદુદ્રવ્ય, ઉપચાર દ્રવ્ય, એકત્વ, અભેદરૂપ ગોચર-વિષયના ભેદથી અનેક પ્રકારે છે. અથવા સંગ્રહ નય બે પ્રકારે છે–સત્તારૂપ મહાસામાન્યને ગ્રહણ કરનાર અને દ્રવ્યત્વાદિ અવાન્તર સામાન્યને ગ્રહણ કરનાર, સત્તારૂપ મહાસામાન્યથી અભિપણે સંગ્રહ કરેલા પદાર્થોને વિધિપૂર્વક અવસ્થાના ભેદથી વિભાગ કરે–ભેદ પાડ, તે પદાર્થના ધર્મની પ્રવૃત્તિથી ભિન્ન જ્ઞાનરૂપ વ્યવહાર નય કહેવાય છે. જે ઘટાદિ પદાર્થોના લેહ શ્રવણ કરવાથી ઘટવાદિ સામાન્ય યુક્ત અને અન્ય સામાન્યના સંબન્ધરહિત પદાર્થનું સાંભળવા પ્રમાણે ગ્રહણ ન થાય, પરતુ સર્વ વિશેષ નામોથી વિશેષ વ્યક્તિનો અભાવ જ
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy