SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 14 ક્રિયાપક આ કારણથી ક્રિયા સહિત જ્ઞાન હિતકારક છે, પણ એકલું જ્ઞાન હિતકારક થતું નથી-એ બાબત કહે છે'क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् / गति विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् // 2 // ક્રિયા રહિત એકલું જ્ઞાન અનર્થ-મોક્ષરૂપ ફળ સાધવાને અસમર્થ છે. માર્ગને જાણનાર પણ પાદવિહાર સિવાય ઇચ્છિત નગરે પહોંચતું નથી. મોક્ષના સાધનમાં પ્રવૃત્તિ કરવારૂપ કિયા વિનાનું એકલું સંવેદનરૂપ (જાણવારૂપ) જ્ઞાન નિરર્થક છે એટલે મોક્ષરૂપ કાર્યનું સાધક થતું નથી. તેને વિશે આ દૃષ્ટાન્ત છે-માર્ગને જાણનાર છતાં પણ પગે ચાલવાની ક્રિયા સિવાય ઇચ્છિત નગરે પહોંચતું નથી. પગે ચાલવાથી જ ઈચ્છિત નગરે પહોંચાય છે. કેમકે-“નાઇઝરને મોવો” જ્ઞાન અને ચારિત્ર વડે મેલ થાય છે એવું શાસ્ત્રવચન છે. सन्नाणनाणोवगए महेसी अणुत्तरं चरिउ धम्मसंचयं / अणुत्तरेनाणधरे जसंसी ओभासइ सूरिएवंतलिक्खे // उत्तरा० अ० 21 गा० 27 “સમ્યક અનેક પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત થયેલા તે મહર્ષિ પ્રધાન ક્ષમાદિ ધર્મના સમુદાયને આચરીને અનુત્તર-પ્રધાન - ક્રિયવિરહિતંત્રક્રિયા વિનાનું. દૃન્ત ખેદસૂચક અવ્યય. રાનમાä= એકલું જ્ઞાન. અનર્થદં=નિરર્થક છે. રાતિ વિનાચાલવાની ક્રિયા સિવાય. પથsfv=માર્ગને જાણનાર પણ સતં ઇચ્છિત. પુરં=નગરે. ના નોતિ= પહેચ નથી.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy