SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 100 શમાપક ધ્યાનરૂપ વૃષ્ટિથી દયારૂપ નદીનું શમરૂપ પૂર વૃદ્ધિ પામે છે ત્યારે વિકાર-ચિત્તના અન્યથા ભાવરૂપ કાંઠાના વૃક્ષનું મૂળથી જ ઉમૂલન થાય છે, ધ્યાન-ધર્મધ્યાન અને શુક્લધ્યાન-એ પ્રશસ્ત ધ્યાન લેવાં. અન્તમુહૂર્ત સુધી ચિત્તની એક વિષયમાં સ્થિતિ તે ધ્યાન. કહ્યું છે કે"अंतोमुहुत्तमित्तं चित्तावत्थाणमेगवत्थुम्मि / छउमत्थाणं झाणं जोगनिरोहो जिणाणं तु"॥ __ ध्यानशतक गा० 3 “અન્તમુહૂર્ત સુધી એક વસ્તુમાં ચિત્તનું રહેવું તે ધ્યાન છઘોને હોય છે અને યોગના નિધરૂપ ધયાન જિન-કેવલજ્ઞાનીને હેય છે.” અહીં ધ્યાનના નિમિત્તરૂપ દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપને વિશે અભુતપણુ વગેરે યુક્ત ચિત્તની તન્મયતા તે ધમ ધ્યાન. તેના ચાર પ્રકાર છે–૧ આજ્ઞાવિચ, 2 અપાયવિચય, 3 વિપાકવિચય અને 4 સંસ્થાનવિચય. તેમાં શ્રી જિનની આજ્ઞાનું નિર્ધારણ કરવું તે સમ્યગ્દર્શનારૂપ છે. જિનેન્દ્ર કથિત આજ્ઞાનું અનન્તપણું, પૂર્વાપર અવિરેધીપણું ઈત્યાદિ સ્વરૂપને વિશે ચમત્કારપૂર્વક ચિત્તની સ્થિરતા તે આજ્ઞાવિય ધર્મધ્યાન. એ પ્રમાણે રાગદ્વેષાદિ અપાયરૂપ છે, કર્મના પરિણામનું ચિન્તન અને લોકના સ્વરૂપની વિચારણા ઈત્યાદિનું નિર્ધારણ, ભાસન અને પૂર્વના અનુભવ સહિત ચિત્તની સ્થિરતા તે અનુક્રમે અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિય ધર્મધ્યાન છે. એમ શુકલધ્યાનનું
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy