SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શમાઇક ક્ષયગ. તેમાં જે અનાદિ પરભાવને ઔદયિક ભાવની રમ તારૂપે નિર્ધારી તેની પુષ્ટિનિમિત્તે ક્રિયા કરતે, અધર્મને ધર્મની વૃત્તિથી ઈચ્છતે પ્રવૃત્ત થએલો છે, તે જ આત્મા જ્યારે નિરામય, નિઃસંગ અને શુદ્ધ આત્મભાવના વડે વાસિત અત:કરણવાળો થઈને “સ્વભાવ એ જ ધર્મ છે એવા પ્રકારની ગવૃત્તિથી પ્રવૃત્ત થાય છે ત્યારે તે અધ્યાત્મયોગી કહેવાય છે. સર્વ પરભાવને અનિત્યાદિ ભાવના વડે જાણીને અનુભવ ભાવનાથી સ્વરૂપને અભિમુખ ગવૃત્તિમાં રહેલે જે આત્માને મોક્ષના ઉપાયમાં જોડે તે ભાવનાગી કહેવાય છે. તે જ આત્મા પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનના પરિણામવાળો સ્વરૂપમાં તન્મય થએલે થાનગી કહેવાય છે. ધ્યાનના બળથી મેહનીયકર્મને નાશ કરનાર, સંતાપાદિના પરિણામ રહિત સમતાયેગી કહેવાય છે. તથા ભેગને અધીન કર્મના ઉદયથી થયેલી અનાદિકાળની જીવની વૃત્તિના અભાવવાળે સ્વરૂપની વૃત્તિયુક્ત વૃત્તિક્ષયગી કહેવાય છે. એ પાંચ ગેમાં સમતાની આત્મસાધના કરવામાં તત્પર હોય છે, માટે જ્ઞાનની પૂર્ણ અવસ્થા શમ કહેવાય છે. अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् / आत्माभेदेन यः पश्येदसौमोक्षंगमीशमी // 2 // 1 જર્માન્ચે કર્મથી કરેલા વિવિધ ભેદને અનિચ્છન=નહિ ઈચ્છતા. ત્રક્ષરોન બ્રહ્મના અંશ વડે. સમં એક સ્વરૂપવાળા. તિજગતને. માત્માન=આત્માથી અભિન્નપણે. જે. =જુએ. મૌ=એ. પામી ઉપશમવાળો. મોક્ષ જમી=મોક્ષગામી હોય છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy