SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ મોહત્યાગાષ્ટક | વિકલ્પરૂપ મા પીવાના પાત્ર વડે જેણે મેહરૂપ મદિરાનું પાન કરેલું છે એ આ આત્મા જ્યાં ઉંચા હાથ કરીને તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા સંસારરૂપ પાનગોષ્ઠી-દારૂના પીઠાને આશ્રય કરે છે. વિકલ્પ–પર પદાર્થોને વિશે “આ સારુ “આ ખરાબ એવા મનના તરંગરૂપ દારુ પીવાના પાત્રો છે. તે વડે જેણે મેહરૂપી આસવ-માદક રસનું પાન કરેલું છે એ આત્મા સંસારરૂપ દારુના પીઠાને આશ્રય કરી વારંવાર મોટા અવાજે હાથની તાળીઓ આપવાની ચેષ્ટા કરે છે. મેહવાળ જીવદારુ પીધેલાની પેઠે ઉન્મત્ત થઈને ચંચલતા અને વિકલતાની ચેષ્ટા કરે છે. તે પરવસ્તુને પિતાની જાણુતા અને પિતાના સ્વરૂપને પરરૂપે જાણતે અકાર્ય કરવામાં નિપુણ ગણું પિતાને પ્રવર્તાવતો પિતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈને ભમે છે, માટે મેહને ત્યાગ કરે એ શ્રેયસ્કર છે. निर्मलं स्फटिकस्येव सहज रूपमात्मनः। अध्यस्तोपाधिसंबन्धो जडस्तत्र विमुत्पति॥६॥ આત્માનું સહજ-સ્વભાવસિદ્ધ સ્વરૂપ સ્ફટિકના જેવું નિર્મલ છે, તેમાં સ્થાપ્યો છે ઉપાધિને સંબન્ધ જેણે એ જડ-ચૂર્ણ અવિવેકી ત્યાં મુંઝાય છે, મેહ પામે છે. જેમ સ્ફટિક સ્વભાવે નિમલ છે, કાળા અને રાતા કુલના યોગથી 1 રટિશ્યકટિકના. ફુવ જેવું. નિર્મદં મેલરહિત, સ્વચ્છ. મમિન=આત્માનું. સદ્દગં=સ્વભાવ સિદ્ધ હર્ષ સ્વરૂપ છે. અગસ્તોસંપN=આરોપ છે ઉપાધિને સંબન્ધ જેણે એવો. =અવિવેકી. ત=ોમાં. વિગુણતિ-મુંઝાય છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy