SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ 28 નિયાગ-અષ્ટક 379 ભાષાર્થ - હે વત્સ! તું પાપને વિનાશ કરે એવા, કામના રહિત, જ્ઞાનરૂપ યજ્ઞને વિષે આસક્ત થા; પાપસહિત અને ઐહિક સુખની ઈચ્છાએ મલિન, એવા તિષ્ઠોમાદિ યજ્ઞનું શું પ્રજન છે? કાંઈ નહીં. “ભૂતિ પણમનમેત” ઈત્યાદિ કૃતિ પાઠને આધારે સકામ ય કહ્યા છે. અનુવાદ : વૈભવ-સુખ-ઈચ્છા-મલિન, પાપ કર્મરૂપ યજ્ઞ, તજી, નિષ્કામ ને પાપહર, જ્ઞાનયજ્ઞ કર સુજ્ઞ. 2 જ્ઞાનમંજરી ––હે કુશળ પુરૂષ! સર્વ પરભાવની અભિલાષા રહિત (નિષ્કામ), પાપ કર્મને નાશ કરનાર, આત્મસ્વરૂપના સ્વપર પ્રકાશક જ્ઞાનરૂપ યજ્ઞમાં તન્મય થા; આ લેકના સુખની ઇચ્છાથી પાપ સહિત મલિન યોથી શું હિત થાય એમ છે? કંઈ નહીં. તારે તે કરવા યોગ્ય નથી. આત્મસ્વરૂપમાં તન્મયતારૂપ પરિણામ એ યજ્ઞ છે, તે કર્મને નાશ કરનાર છે તેથી તેને માટે પુરુષાર્થ કર્તવ્ય છે. 2 वेदोक्तत्वान्मनः शुद्धया कर्मयज्ञोऽपि योगिनः / ब्रह्मयज्ञ इतीच्छंतः श्येनयागं त्यजति किम् ? // 3 // ભાષાર્થ:–વેદોક્ત હોવાથી મનની શુદ્ધિ દ્વારાએ જ્ઞાન-ગીને કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ થાય એવું વાંછતા (માનનાર–પ્રતિપાદન કરનાર) શું ચેનયાગને છાંડે છે? કઈ કહે છે કે પ્રતિપદોક્ત ફળ ત્યાગે વેદોક્ત કિયાએ સત્વ શુદ્ધિ દ્વારે વિવિદિષા સંપત્તિને અર્થે કર્મયજ્ઞ કરીએ તે બ્રહ્મયજ્ઞ હોય તે મત “વેઢાનવરને બ્રાહ્મણ વિfવવિíતિ થન, રાજેન તાતા'' ઈત્યાદિ ઋતિના મતનું દૂષણ બતાવવા ગાથા
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy