SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 2 મગ્નાષ્ટક છે, તે પદપણે, પદ વાક્યપણે, વાક્ય મહાવાક્યપણે, અને તે ગ્રંથપણે પરિણમે છે. ગ્રંથકાર સાક્ષી માત્ર છે, તે કેમ અભિમાન ધરે છે કે હું ગ્રંથકર્તા છું? સર્વ દ્રવ્ય સ્વપરિણામના કર્તા છે, પર પરિણામને કઈ કર્તા નથી, એ ભાવનાએ અન્ય ભાવનું કર્તાપણું ટળે, સાક્ષીપણું આવે. ( જ્ઞાનમંજરી - સહજ આત્યંતિક એકાંત આનંદમાં મગ્ન રહેનાર, જગતનું યથાર્થ સ્વરૂપ દેખનાર પુરુષને રાગ આદિ વિભાવનું, જ્ઞાનાવરણ આદિ કર્મોનું અને પરપદાર્થોનું લેવા-મૂકવારૂપ કર્તાપણું હોતું નથી, પરંતુ જ્ઞાયક સ્વભાવ આત્માને હેવાથી સાક્ષીપણું જ હોય છે. ત્યાં જીવ પિતાના ગુણેને સ્વામી છે તેથી સ્વગુણું પરિણામનું કર્તાપણું, ચેતન વીર્યના બળથી અભેદકારક ચકની અપેક્ષાએ ઘટે છે. (અથવા એકની મુખ્યતા જ્યાં હોય છે એવી ક્રિયામાં પણ જીવ જીવભાવોને કર્તા છે, ચેતન વિર્યના સાધન કારક ચક્રની મદદથી) એકની મુખ્યતાવાળી ક્રિયાથી રહિતપણું હોવાથી ધર્માદિ દ્રવ્યમાં કર્તાપણું નથી; જીવને પણ પિતાના કાર્યનું કર્તાપણું છે. કેઈ જીવ જગતર્તા નથી. પરંતુ પિતાના કાર્યના પરિણામરૂપ ગુણ પર્યાયની પ્રવૃત્તિને જ તે કર્તા છે, પરંતુ પરભાવને કર્તા નથી. પરભાવને કર્તા માનવાથી લેકાલેકને જાણનારને અસઆરેપ, સિદ્ધિને અભાવ આદિ દે લાગે છે તેથી જ તે પરભાને કર્તા નથી પરંતુ સ્વભાવે મૂઢ એ જીવ અશુદ્ધ પરિણતિમાં પરિણમે છે. અશુદ્ધ નિશ્ચય નયથી તે રાગાદિ વિભાવને કર્તા અને અશુદ્ધ વ્યવહારથી જ્ઞાનાવરણાદિ કર્મોને કર્તા થાય છે, તે પણ તે જ જીવ સહજ સુખની રુચિવાળે થતાં અનંત
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy