SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ S' . *? 22 ભવ-ઉદ્વેગ અષ્ટક 323 ભીડમાં થઈને માથે તેલથી ભરેલે થાળ રાખીને યોગીની પેઠે એકચિત્ત થઈ એક ટીપું પણ તેલ ઢળ્યા વિના પાછો આવ્યો. તે પ્રકારે મુનિ અનેક સુખદુખથી ભરેલા ભવમાં પણ સ્વસિદ્ધિ અર્થે પ્રમાદ રહિત પ્રવર્તે છે. બીજું દ્રષ્ટાંત જેમ સ્વયંવરમાં કન્યા પરણવા માટે રાધાવેધ માટે તૈયાર થયેલ સ્થિર ઉપગના વેગે લઘુ–લાઘવી કેળાવાળે સ્થિર ચિત્તવાળે બને છે, તેમ મુનિ સંસાર પરિભ્રમણ અને આત્મગુણના આવરણ આદિ મહા ભયથી ત્રાસીને સમિતિ, ગુપ્તિ અને ચરણ-કરણ સિત્તેરીરૂપ ક્રિયામાં અનન્ય ચિત્ત (એકાગ્રમન) વાળો બને છે. કહ્યું છે કે :- ", " . : - गाइज्जति सुरसुंदरीहिं, वाइज्जंता वि वीणमाइहिं / / तहवि हु समसत्ता वा चिट्ठति मुणी महाभागा / / 1 / / पव्वयसिलायलगया, भावसिएहि कडुअफासेहिं / उज्जलवेयणपत्ता समाहित्ता हुंति * : निग्गंथा // 2 // વામિસળ વ સ ય ટાઢવજસંક્રિયા | तहवि हु समाहि पत्ता संवरजुत्ता मुणि वरिंदा / / 3 / / ભાવાર્થ - દેવાંગનાઓનાં ગાન થતાં હોય, વીણ આદિ વાજિંત્ર વાગતાં હોય તે પણ સમભાવમાં વર્તતા મુનિ મહા ભાગ્યશાળી છે. 1 પર્વતની ગરમ શિલા ઉપર બેઠેલા અને અપ્રિય સ્પર્શથી તીવ્ર વેદનાને પ્રાપ્ત થયેલા નિગ્રંથ મુનિ અંતરમાં શીતળીભૂત, સમચિત્તવાળા રહે છે. 2 વનમાં માંસના લેલુપી સિંહની વક દાથી ગ્રહાયેલા છતાં પણ મુનિવરેન્દ્ર સંવરયુક્ત સમાધિને પ્રાપ્ત થાય છે. 3
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy