SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ 21 કર્મવિપાકચિંતન-અષ્ટક 315 અનુવાલ : સામગ્રી બધીયે અહીં, પડી રહેતી વ્યર્થ કર્મ–વિપાક છેવટ સુધી ટકે શત્રુ સમર્થ. 6 જ્ઞાનમંજરી -- સર્વેય સામગ્રી હાજર હોવા છતાં કાર્ય કરવા સમર્થ થતી નથી, કર્મને ઉદય કાર્યના અંત સુધી અનુસરે છે તેથી તે ચરમ કારણ છે. બાહ્ય સામગ્રી ઉપકરણ(સાધન)રૂપ જ છે, કર્મના ઉદયને આધીન છે. તેથી કર્મને ઉદય વિશેષ બળવાન છે માટે કર્મને ક્ષય કરવા પ્રયત્ન કર્તવ્ય છે. 6 असावचरमावर्त, धर्म हरति पश्यतः / चरमावर्ति साधोस्तु छलमन्विष्य हृष्यति // 7 // ભાષાર્થ - છેલ્લા પુદ્ગલ પરાવર્તન પહેલા આ કર્મ વિપાક (ઉદય) દેખતાં છતાં (ઉદયમાં મીઠાશ-વૃત્તિ કરાવીને) ધર્મને હરે છે, પરંતુ ચરમ (છેલ્લા) પુદ્ગલ પરાવર્તનવાળા સાધુનું છિદ્ર જોઈને (પ્રમાદ વશ, અજાગ્રત હોય ત્યારે) તે કર્મ-ઉદય હર્ષ પામે છે (ધર્મમાં સંગ કરાવે છે.) અનુવાદ - કર્મ દીર્ધ સંસારનાં, હરે દેખતાં ધર્મ, છિદ્ર શેધ મલકાય છે, શરમાવત મુનિ-કર્મ. 7 જ્ઞાનમંજરી :-- આ કર્મવિપાક છેલ્લા પુદ્ગલ પરાવર્તન પહેલાં વર્તતા જીવના દેખતાં (ખુલ્લી નજરે–ભેળવીને) ધર્મની ચોરી કરે છે, વળી છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતા જે માર્ગાનુસારી નિગ્રંથ સાધુ હોય તેનું છિદ્ર શોધીને
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy