SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ 303 20 સર્વસમૃદ્ધિ-અષ્ટક या सृष्टिब्रह्मणो बाह्या, बाह्यापेक्षावलम्बिनी / મુ. પાનપેક્ષાગાદિત્તોડધિજા IIણા ભાષાર્થ - જે બ્રહ્માની સુષ્ટિ (રચના) છે, તે બાહ્ય પ્રપંચ (ઈદ્રિય) ગોચર અને બાહ્ય કારણની અપેક્ષાને અવલંબે છે; મુનિની અંતરંગ ગુણની રચના (સૃષ્ટિ) પરની અપેક્ષા રહિત છે, માટે બ્રહ્માની સૃષ્ટિ (બ્રહ્મરચના)થી અધિક છે. ઉપમાનથી ઉપમેય અધિક છે. અનુવાદ:-- બાહ્ય સૃષ્ટિ બ્રહ્માની જે, બાહ્ય હેતુ આધીન અંતર્ગુણ સૃષ્ટિ ભલી, મુનિની તે સ્વાધીન. 7 જ્ઞાનમંજરી :-- બ્રહ્માની બાહ્ય સૃષ્ટિની રચના લેક્તિરૂપ અસત્ય છે, વળી બાહ્ય અથવા અપેક્ષાનું અવલંબન કરનાર છે. સ્વરૂપસાધનની સિદ્ધિમાં મગ્ન મુનિની સૃષ્ટિ આત્મામાં વ્યાપેલા ગુણેની રચના છે એટલે ગુણને પ્રગટાવવાની પ્રવૃત્તિરૂપ પરિણતિમય છે. તે બાહ્ય ભાવથી અધિક છે. ગુણ સૃષ્ટિ કેવી છે? પરની અપેક્ષા વિનાની એટલે પરાશ્રયરૂપ અવલંબન રહિત અને સ્વરૂપ અવલંબન મય એ ગુણ રચના (સૃષ્ટિ) છે. તે સર્વથી ચઢિયાતી છે. 7 रत्नस्त्रिभिः पवित्रा या स्रोतोभिरिव जाह्नवी / सिद्धयोगस्य साऽप्यहत्पदवी न दवीयसी // 8 // ભાષાર્થ –પવિત્ર ગંગા નદી ત્રણ પ્રવાહ વડે પ્રાપ્ત થવી જેમ દૂર નથી તેમ રનવયરૂપ પ્રવાહે વડે પવિત્ર અરિહંતની પદવી સિદ્ધ ગીને પ્રાપ્ત થવી અતિ દૂર નથી. કારણ કે સિદ્ધગીને તીર્થંકરનાં દર્શન થાય છે એમ કહ્યું છે -
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy