SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ 18 જ્ઞાનમંજરી જ્ઞાનીઓ પૂર્ણતા રૂપે અંગીકાર કરે? ન જ કરે. એમ જાણીને ઉપેક્ષા જ જણાવી છે. તેથી જ અનાદિ કાળથી સ્વરૂપનું જેમને ભાન નથી તે પર વસ્તુમાં અભેદ પરિણામે તન્મયપણે પ્રવર્તતા હોવાથી તેમની માનેલી પૂર્ણતા પરની ઉપાધિથી ઉત્પન્ન થયેલી હોય છે. નિર્વિકલ્પ સંબંધી તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ભેદ રત્નત્રયરૂપે ગણી પૂર્ણતા ગણીએ તે તે સ્વભાવરૂપ હોવા છતાં શરૂઆતના અભ્યાસ રૂપ હોવાથી અને તે ભેદ ટળી જવાનું હોવાથી સવિકલ્પ પૂર્ણતા કહેવાય; અભેદ રાત્રયરૂપે પરિણમેલા મહાત્માઓની સ્વાભાવિક પૂર્ણતા નિર્વિકલ્પ હોય છે. તત્ત્વસાધનના રસિક બની તે (નિવિકલ્પ પૂર્ણતા) સાધ્ય કરવા યોગ્ય છે. ઉપદેશ - શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાનપૂર્વક રમણતાને અનુકૂળ વીર્યની પ્રવૃત્તિવાળા જ્ઞાની પંડિતની દૃષ્ટિ પૂર્ણાનંદ રૂપ અમૃતથી આજેલી હોય છે, તત્વજ્ઞાનીઓની દૃષ્ટિ સ્વસ્વરૂપના સ્વાભાવિક પૂર્ણ નિજ અત્યંત એકાંતિક નિદ્ધ% આનંદથી ભરપૂર છે, આત્મજ્ઞાનીઓ સ્વરૂપ-આનંદની પૂર્ણતાને જ પૂર્ણતારૂપે માને છે, તેમાં પુદ્ગલની પૂર્ણતાને સંકલ્પ નથી કારણકે તે ઉપાધિરૂપ છે એ તેમણે નિર્ણય કરેલો છે. પણ अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु हीयते / पूर्णानन्दस्वभावोऽयं जगददद्भुतदायकः // 6 // ભાષાર્થ - ત્યાગ ભાવે, પુદંગલે અપૂર્યો એવો આત્મા પૂર્ણપણને પામે છે, વળી ધન, ધાન્યાદિ વડે પૂર્ણ થયા છતાં હાનિ પામે છે. પુદ્ગલના અનુપાદાને (નહીં ગ્રહવાથી, ત્યાગવાથી) જ્ઞાનાદિની પૂર્ણતા (થાય છે), પુદ્ગલના
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy