SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 242 જ્ઞાનમંજરી ખાવું પીવું ને સુખ માણવું, ઇંદ્રિયગોચર છે એટલે જ લેક છે ઈત્યાદિ. સૂક્ષમ પર્યાય (દરેક સમયે પલટાતા)ને ગ્રહણ કરનાર તેમજ સ્કૂલ (મનુષ્ય ભવ, દેવભવ આદિ) લાંબા કાળના પર્યાયને ગ્રહણ કરનાર એમ બે ભેદ જુસૂત્રના ગણાય છે. 5 શબ્દ નય - સામાન્ય અને વિશેષ પરિણતિ ક્ષાપશમિક-ઔદયિક આદિ વર્તમાન પરિણતિને ગ્રહવારૂપ શબ્દ નય છે. શબ્દ એ જ અર્થવડે જેને વિષય કરાય છે તે વસ્તુ વિશેષ, તેથી શબ્દ એટલે શબ્દકૃત અર્થ વિશેષ ગણાય છે. ધાતુના જે જે અર્થ વિશેષ હોય તે શબ્દકૃત હેતા નથી, તેથી ઘટ વર્તમાનકાળે ઘટ જ નિર્વિશેષ હોય; કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સ્વામી આદિ વિશેષને પ્રાપ્ત ન થાય. તેથી જેના આધારે ઘટ છે ઈત્યાદિ કારને અહીં વ્યવહાર નથી. તેથી સમાન લિંગ આદિ શબ્દથી જે પ્રગટ થાય છે તે જ સ્વીકારાય છે, વસ્તુથી અન્ય નહીં. જેમકે પુરુષ સ્થાણું (e ); કારણકે કહેલા વચનના અર્થની હાનિ થાય. કારણ કે ભેદને અર્થે વચન છે, તેથી સ્વાતિ, તારા, નક્ષત્ર (પડે, પુસ્તક, પિથી) એમાં જાતિમાં ભેદ છે; લીમડા, આંબા અને કદંબનું વન એમાં વચનને ભેદ છે; તે રાધે છે, તે રાધે છે, હું રાંધું છું, અમે રાંધીએ છીએ આદિમાં (પહેલે, બીજે, ત્રીજે) પુરુષભેદ અને વચનભેદ છે, એ પ્રકારે સર્વે પરસ્પર વિશેષના નાશથી અવસ્તુરૂપ પરસ્પર નાશ થતાં અવસ્તુને સ્વીકાર કરે પડે. જેમકે ઠંડે, બળતે એમ વિરુદ્ધ વિશેષણથી કાંઠો કે નદી કહે તે અવસ્તુ છે. લાલ, લીલી વસ્તુ કહેવી તે પણ અવસ્તુ છે, તે તે પ્રકારે
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy