SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 9 ક્રિયાષ્ટક 135 ઉપદેશ છે. ક્ષાયિક સમ્યક્ત્વ થતાં સુધી નિરંતર નિશંકા આદિ આઠ દર્શનાચાર સેવવા, કેવળજ્ઞાન થતાં સુધી કાલ વિનયાદિ જ્ઞાનાચાર સેવવા, યથાખ્યાત ચારિત્ર પ્રગટતા સુધી ચારિત્રાચાર સેવવા, પરમ શુકલધ્યાન થતાં સુધી તપાચાર સેવવા, સર્વસંવર થતાં સુધી વીર્યાચારની સાધના અવશ્ય સેવવા યંગ્ય છે; પંચ આચાર સિવાય મોક્ષ પ્રાપ્ત થતા જ નથી. દર્શનથી જ સ્વગુણેની પ્રવૃત્તિ થાય છે, તે કિયા દર્શનાદિ ગુણોની વિશુદ્ધિ અર્થે હોય છે. તે નિમિત્તને અવલંબીને પ્રવર્તવું તે આચાર છે. તેથી ગુણની પૂર્ણતા થતાં સુધી આચરણ કરવા યંગ્ય છે; આચરણાથી ગુણની પૂર્ણતા થાય છે જ. પૂર્ણ ગુણવાળાઓની આચરણું તે પરના ઉપકારને અર્થે હોય છે એ પ્રસિદ્ધ છે. માટે જ કહે છે : યથાર્થ આત્મસ્વરૂપના જાણનાર જ્ઞાની', સાધનનાં કારણેને અનુસરતી યુગપ્રવૃત્તિરૂપ અને સ્વગુણને અનુસરતી વીર્યપ્રવૃત્તિરૂપ “ક્રિયામાં ઉદ્યમ કરનાર, વળી કષાય લેશથી ૨હિત, “શાંત” શુદ્ધ સ્વરૂપમાં રમણતાવાળા, “ભાવિતાત્મા’ અને ઇંદ્રિયની પ્રવૃત્તિ ઉપર કાબૂ રાખનાર, “જિતેન્દ્રિય હોય તે સંસાર સમુદ્રને પિતે તરી ગયા છે અને ઉપદેશ(જ્ઞાન) દાનઆદિથી પિતાના આશ્રિતને તારવા સમર્થ છે. કારણ કે જે સમ્યફદર્શન-જ્ઞાન–ચારિત્રમાં પરિણમેલા, આત્મારામી, આત્મવિશ્રામી, આત્મ-અનુભવમાં મગ્ન હોય તે પિતે સંસારથી છૂટ્યા છે, તેમજ પિતાને સેવનારાઓને ઉદ્ધાર કરે છે. અહીં સંવેદન (અનુભવ) જ્ઞાન થતા સુધીનું વચનની પ્રવૃત્તિરૂપ કે મનના વિકલ્પરૂપ ભાવના રહિત જે દ્રવ્યજ્ઞાન
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy