SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હે પ્રભુ! આ ભાવનાઓ, આ મનેર ને આ વિચારે કયારે પૂર્ણ થશે, ને મનુષ્ય ભવનું સાર્થકપણું ક્યારે થશે? નવ તત્વમાંથી બે જાણ, ચાર છાંડી અને ત્રણને ગ્રહણ કરવા કયારે યત્ન કરીશ? હું હમણાં સંવરમાં છું કે આસવમાં છું? હું હમણાં નિર્જરા કરું છું કે નહીં? હું હમણાં આસવને ત્યાગ કરું છું કે નહીં ? હું હમણાં અનિત્ય અશરણાદિ ભાવનાનું ચિંતવન કરું છું કે નહીં ? એમ વારંવાર મને ક્યારે ભાન થશે ? હું કોણ છું ? હું ક્યાંથી થયે? મારું સત્યસ્વરૂપ શું છે? હું ક્યાંથી આવ્યા ને ક્યાં જઈશ ? મારું શું થશે ? આ શરીર શું છે? આ દુનિયા શું છે? આ કુટુંબ કેણ છે? ને મારે આ સર્વ સાથે સંબંધ કેમ થયે? એ સંબંધ સત્ય છે કે અસત્ય ? એ ત્યજું કે રાખું? આવા વિચારો વિવેકપૂર્વક અને શાંત ભાવે ક્યારે કરીશ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાંતને અનુભવ ક્યારે કરીશ? ને કર્મને સત્વર નાશ ક્યારે કરીશ? હે ભગવાન! હું નવતત્વ ભર્યો પણ તત્વમય ન થયે; ક્ષેત્રસમાસ ભર્યો પણ અંતરશત્રુને સમાસ કરતાં ન શીખે. વીશ દંડક વાંચ્યા, વિચાર્યા અને અવેલેક્યા પણ અંદરના દંડ મેં ન તજ્યા જીવન પાંચસે ત્રેસઠ ભેદ વાંચ્યા, વિચાર્યા, પણ અભેદમય ન થ; કર્મગ્રંથ વાંચ્યા, પણ કર્મની પ્રકૃતિને અહોનિશ વિચાર કરી પિતાનામાંથી તે પ્રકૃતિને ત્યાગ કરવા સમર્થ ન થયે. ઘણું સિદ્ધાંત અને શાસ્ત્ર વાંચ્યાં પણ તે બધાં ભારરૂપ થયાં. સત્સંગ કર્યો પણું સત્ય જ્ઞાન ન થયું. સદ્દગુરુ મળ્યા પણ સ્વચ્છેદે ચાલી
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy