SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ 8 ત્યાગાષ્ટક 125 છે, તે પણ જેને સમ્યક્દર્શનાદિ ગુણરૂ૫ પશમ સ્વરૂપના નિર્ધાર, જ્ઞાન અને રમણસ્વરૂપ છે તે અન્ય નિમિત્તાદિ અવલંબન કરવા છતાં તે તાવિક છે. અહીં રત્નત્રયી સ્વરૂપે વીતરાગ સર્વરે કહેલી યથાર્થ શ્રદ્ધા તે સમ્યક્દર્શન, યથાર્થ તત્વને જાણવારૂપ સમ્યકજ્ઞાન અને તત્વમાં રમણતા તે ચારિત્ર એમ ત્રણ ગુણના સમૂહરૂપ શોપશમમાં અહંત ભગવાનનાં વાક્યના અવલંબનથી નિજગુણનું સાધવાપણું હોવાથી પ્રબળ કારણરૂપે કમનું કારણ છે; અતત્વરૂપ છે કારણકે તેમાં અંતર્મુહૂર્ત સુધી એવા વિકલ્પ હોય છે કે “ઉપાદેયપણે સ્વતત્વને નિર્ધાર, ભાસન (જ્ઞાન) અને તેમાં રમણતા (ચારિત્ર) છે અને હેય(તજવાયેગ્ય)પણે પરભાવના ત્યાગરૂપ નિર્ધાર (પ્રતીતિ), ભાસન અને રમણતા છે એટલે આ પ્રકારના રત્નત્રયી પરિણામને ભેદરતત્રયી સ્વરૂપ કહે છે, અને અભેદ રતત્રય સ્વરૂપ તે સકલ વિભાવના હેયપણા સહિત હોવા છતાં અવકન આદિ રહિત, વિચારણા સ્મૃતિ ધ્યાન આદિ રહિત એક સમયે જ સંપૂર્ણ આત્મધર્મના નિર્ધાર–ભાસન-રમણતારૂપ નિર્વિકલ્પ સમાધિમય હોય છે. ધ્યાનપ્રકાશમાં કહ્યું છે કેઃ जो य वियप्पो चिरकालीओ, सपरोभयावलंबणे होइ / जिट्ठिव्व पुरस्स चलणे, निमित्तगाही भवे तेइ / ભાવાર્થ –આગળ ચાલવા માટે જેમ લાકડીનું નિમિત્ત લઈને પ્રવર્તે તેમ ચિરકાળ સુધી સ્વ અને પર બન્નેના આલંબનમાં વેગને વિકલ્પ નિમિત્તગ્રાહી (ભેદરતત્રયી) કહેવાય છે. 1 ગ્રહણ કરવા યોગ્ય
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy