SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અને આધિ-વ્યાધિ-ઉપાધિથી કંટાળેલા માનવોને માટે આ તપોવન એક સુંદર આશ્રયસ્થાન છે. તું મજેથી અહીં રહે. અને શાંતિથી તપ-જપમાં લાગી જા.” કુલપતિના આવા મીઠા મધુરા વચનો સાંભળી અગ્નિશમનાં અંતરમાં અત્યંત શાંતિ વળી. ત્યાં રહી એ તપ ઉપર તપ કરવા મંડયો... ધીમે ધીમે અગ્નિશર્મા તાપસમાંથી....મહાતપસ્વી...તપોમૂર્તિ તરીકે આસપાસના પ્રદેશમાં વિખ્યાત થઇ ગયો. | એની કુરૂપતા, શરીરની બેડોળતા, બધું આ તપના પ્રભાવમાં ભૂલાઇ ગયું થોડાં વર્ષોમાં તો દેશવિદેશમાં અગ્નિશમ મહાતપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામી ગયો.. | એક વખત જે લોકો એને જોઇને મશ્કરી કરતા હતાં તે જ જે લોકોનું મસ્તક અગ્નિશર્માને જોઈને અહોભાવથી હવે ઝૂકી જતું. તપના તેજથી દીપતા કોઇ દેવદૂત જેવો અગ્નિશર્મા દેખાવા લાગ્યો! જેમ સૂર્યનો તાપ મળ, દુર્ગધને શોષે છે. એમ તપ પણ વિકૃતિઓને આ - શોષવા સમર્થ હોય છે. આ વાત અગ્નિશર્મા તપસ્વીએ સિધ્ધ કરી બતાવી. આ છેલ્લે છેલ્લે તો અગ્નિશર્મા મહિના....મહિના...ના ઉપવાસ કરવા લાગ્યો. માસક્ષપણને પારણે માસક્ષપણ....પારણામાં પણ આમંત્રણ આપે તેના ઘરે ભિક્ષા માટે જવું....જે આહારમાં મળે એનાથી ચલાવી લેવું કાંઇ ન મળે તો ફરી બીજા મહિનાના ઉપવાસનો પ્રારંભ કરવો. કે આવી ભીષ્મપ્રતિજ્ઞાનો ધારક અગ્નિશર્મા તપોવનમાં સહુનું આકર્ષણ કેન્દ્ર બની ગયો હતો. સહુ એને વંદનીય પૂજનીય માનતા હતા એમાં વળી એક દિવસ...
SR No.032761
Book TitleEk Saras Varta
Original Sutra AuthorN/A
AuthorKulshilvijay, Harshshilvijay
PublisherKatha Sahitya Granthmala
Publication Year1992
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy