SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ 8. ध्रुवं कूटस्थमविचाल्यनापायोजनाविकार्यनुत्पत्यवृद्धयव्यययोगि / ... तदपि नित्यं यस्मिस्तत्त्वं न વિન્યતે | પા.સૂ.૧-૧-૧૫૨ પરનું ભાષ્ય. 10. સર નિ:સંતાસત્ત, નિ:સ, નિરસ, અવ્ય નિકું પ્રધાનમ્ aa વ્યાસ મા.યો.ફૂ. 2-7 સા.કા.૧૫-૧૬ 12. રામકૃષ્ણ પુલિંગન્ડલ દ્વારા એમના પુસ્તક Fundamentals of Indian Philosophy માં ઉદ્ભૂત પૃ.૧૨૪. 13. ભિક્ષુના મતે સાત્વિક અહંકારમાંથી માત્ર મન ઉત્પન્ન થાય છે; તામસ્ અહંકારમાંથી તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે અને રાજસ્ અહંકારમાંથી દશ ઇન્દ્રિયો ઉત્પન્ન થાય છે. જુઓ સાં.સૂ.૨-૧૮ પરનું ભાષ્ય. 14. આકાશને પણ અહીં ઉત્પન્ન કે આવિર્ભત થયેલું માન્યું છે, પણ આકાશ તો સર્વવ્યાપી છે. તેથી તેની ઉત્પત્તિ માનવામાં બાધા આવશે. સાંગાચાર્યો આ અસંગતિ સ્પષ્ટ કરવા પ્રયાસ કરે છે. પરંતુ તે માટે કાળ અને દિફ (Time and space) વિષેનો તેમનો મત સમજી લેવી જરૂરી છે. સાંખ્યસૂત્ર 2-12 અનુસાર દિફ અને કાળનો આધાર આકાશ છે. આકાશનો જુદી જુદી ઉપાધિઓ સાથે સંયોગ થતાં દિફ અને કાળ ઉત્પન્ન થાય છે અર્થાત્ સૂર્ય વગેરેની ક્રિયાથી ઉપલક્ષિત આકાશ જ દિફ અને કાળ કહેવાય છે. પરંતુ યુક્તિદીપિકા અને સાંખ્યતત્ત્વ કૌમુદિમાં કાળનું સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારાયું નથી. વાચસ્પતિ લખે છે કે અતીત વગેરે ભેદોની ઉપપત્તિ માટે ઉપાધિઓનો આશરો લેવો પડતો હોય તો ઉપાધિઓને જ કાળ ગણવી યોગ્ય છે. કાળ નામના જુદા તત્ત્વની જરૂર જ ક્યાં છે. (તમાકુના વાલેન) અને દિફ તો સાપેક્ષ તથા બુદ્ધિકલ્પિત જ છે. વિશેષ માટે જુઓ સાંખ્યયોગ, નગીન શાહ, અધ્યયન-૧૨) આમ દિફ-કાળના સંદર્ભમાં આકાશતત્ત્વને સમજાવી શકાય તેમ નથી. ભિક્ષુ એમ સ્પષ્ટતા કરે છે કે આકાશ બે પ્રકારનું છે - એક નિરાકાર આકાશ. જે પ્રકૃતિના તમસ ગુણરૂપે રહેલી ઉર્જા છે. તેને કારણાકાશ કહીએ. આ કારણાકાશ પછી અન્ય ગુણો સાથે મળી અન્ય ભૂતોની જેમ શબ્દ તન્માત્રામાંથી છૂળ આકાશ નામનું મહાભૂત ઉત્પન્ન કરે છે. તે આકાશી અણુઓનો સમુચ્ચય છે. (યોગવાર્તિક 3-40). પણ આ મતને અન્ય સાંખ્યાચાર્યોએ અનુમોદ્યો હોય તેમ લાગતું નથી. પણ ભિક્ષુ વાયુના પ્રસરણ માટેના માધ્યમ તરીકે આકાશનો ઉલ્લેખ કરે છે. તે દૃષ્ટિએ આપણે જેને Ether કહીએ છીએ તેવો ભાવ અભિપ્રેત હશે એમ માનીએ. વૈશેષિકોએ તો આકાશને શબ્દનું કારણ ગણી તેને નિત્ય દ્રવ્ય માન્યું છે તે પણ નોંધવું જોઈએ. 15. જુઓ સાંખ્યકારિકા, જેટલી અને પરીખ અભ્યાસ નોંધ. પૃ.૧૧૩. 16. જુઓ : યદ્યપિ થવ્યાવીનામપિ વટવૃક્ષારો વિવારા: . તથાપિ ન થવ્યાવિગતત્ત્વાતરમ્ |
SR No.032748
Book TitleBharatiya Darshanoma Parinamvad
Original Sutra AuthorN/A
AuthorVasant Parikh
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy