SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ વ્યાકરણશાસ્ત્ર શબ્દના સ્વરૂપ, રૂપાંતર વગેરેની જ પ્રધાનપણે ચર્ચા કરે છે, તો પણ એમના કેટલાક સૂત્રો કે મત ભૌતિક વગેરે તત્ત્વોના રૂપાંતરને સમજવામાં ઉપયોગી થઈ શકે છે. જેમ કે યાસ્કે વાર્ષાયણિએ કહેલા છ ભાવવિકારોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં વિરમ તે નો ઉલ્લેખ નોંધપાત્ર છે. વિપરિણમન-એટલે તત્ત્વ કે પદાર્થ પોતાના સત્ત્વમાંથી ચૂત થયા વિના વિકાર કે રૂપાંતરને પામે છે. પ ભાવવિIR/ મવસ્તીતિ વાળ:.. વિપરિણમતે રૂત્યપ્રવ્યવમાની તત્ત્વાદિજારમ્ | આવો જ મત સાંખ્ય અને જૈનદર્શનમાં પ્રતિધ્વનિત થતો દેખાય છે. પાણિનિના તસ્ય વિર: (43134) અને તર્થ વિક્તઃ પ્રકૃતી (પાલા૧૨) પરની ટીકામાં વામન જયાદિત્ય સ્પષ્ટ કરે છે કે પ્રવૃતરવસ્થાન્તર વિર: I તથા પ્રતિપાલીનાર, તવૈવ ઉત્તરમવસ્થાન્તરે વિકૃતિઃ તો અહીં એ પણ નોંધવું ગમશે કે શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે કે વ્યવસ્થાન્તર વિIR: (શબ્દાનુ. 6-2-30) પતંજલિ પણ પરિણમનની વિભાવના સ્પષ્ટ કરી છે. તેમણે દર્શાવ્યું કે નવા ગુણો આવિર્ભત થવા છતાં પણ જેના મૂળભૂત તત્ત્વનો નાશ થતો નથી, તે દ્રવ્ય છે. જેમકે આમળામાં લાલ કે પીળા જેવા ગુણો બદલાય છે, તો પણ આમળાને તે જ આમળા તરીકે સ્વીકારવામાં આવે જ છે. આ ઉપરાંત નિત્યતાના સંદર્ભમાં તેમણે કૂટસ્થ નિત્યતા અને પરિણામ નિત્યતા એમ બે નિત્યતા સ્વીકારી અને કૂટસ્થ નિત્યતાના સંદર્ભમાં એમણે એવી પણ સ્પષ્ટતા કરી કે જેમાં તત્ત્વનો નાશ ન થાય તે પણ નિત્ય જ છે. પ્રશિષ્ટ સાંખ્યઃ અગાઉ નિર્દેશ કર્યો છે, તે પ્રશિષ્ટ સાંખ્યમાં ઈશ્વરકૃષ્ણ રચિત સાંખ્યકારિકાને પ્રમુખ માનવામાં આવે છે. સાંખ્યકારિકા પર માઠર વૃત્તિ, ગૌડપાદભાષ્ય, જયમંગલા ટીકા, યુક્તિદીપિકા, વાચસ્પતિકૃત સાંખ્યતત્ત્વકૌમુદી અને નારાયણતીર્થની ચંદ્રિકા વગેરે ટીકાઓમાં કેટલાંક મહત્ત્વના મુદ્દાઓની સવિસ્તર ચર્ચા જોવામાં આવે છે. તેમાંનો એક મહત્ત્વનો મુદ્દો પરિણમનનો છે. તે વિષે વાચસ્પતિએ કરેલી ચર્ચા વિશેષ ધ્યાનાકર્ષક છે. સાંખ્યકારિકા ઉપરાંત કપિલના નામે પ્રાપ્ત સાંગસૂત્ર પણ મહત્ત્વનો ગ્રંથ છે. આમ તો સાંખ્યદર્શનના આદ્ય પ્રવર્તક તરીકે કપિલને જ માનવામાં આવે છે. પરંતુ તેમના વિષે આધારભૂત માહિતી ખાસ પ્રાપ્ય નથી. પરંપરા પ્રમાણે પ્રાચીન કપિલ મુનિએ બે ગ્રંથો રચ્યા છે : (1) સાંગસૂત્ર અને (2) તત્ત્વસમાસ. પરંતુ સાંગસૂત્ર પ્રમાણમાં
SR No.032748
Book TitleBharatiya Darshanoma Parinamvad
Original Sutra AuthorN/A
AuthorVasant Parikh
PublisherL D Indology Ahmedabad
Publication Year2012
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy