SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ * વિપક જદરની પ્રસંશા કરે છે. લક્ષમણ મહરિને રાવણું કરતાં વધુ બુદ્ધિમાન માને છે. પણ રાવણ કામબાણથી વિદ્ધ થયો હોવાને લીધે સીતા વિશેની તેની કામેચ્છા રેકી શકાય તેવી નથી. તેથી તે કુપુરહિત મહેદરને પગે પડે છે; અને તેને કેઈપણ હિસાબે સીતાને વશ કરવાનો માર્ગ શોધી કાઢવા વિનંતી કરે છે. રાવણને યોગ્ય માર્ગ ઉપર લાવવા માટે પિતાથી બનતું કર્યા પછી, તેના કામતંત્રસચિવ અને એક સહચર તરીકે, મહેદર રાવણને મદદ કરવા, તેમ જ હિંમત આપવા પિતાના પ્રયત્ન આદરે છે. આ બાબતમાં રામને પહેલેથી પક ડ્યો હોત તે ઠીક થાત એવું તેને લાગે છે, પરંતુ સીતા નારાજ ન થાય માટે રાવણને તેમ કરવું યોગ્ય લાગતું નથી. રાવણ પાસે અદ્દભુત શક્તિ હેવાને લીધે કેાઈ બનાવટી અથવા માયાવી સીતા તે રામ પાસે મેકલી શક્યો હોત, પરંતુ એ ક૯૫ને પણ રાવણને પસંદ નથી, કારણકે તેમ કરવાથી અશોકવનમાંની સીતા પિતાને વશ થશે કે કેમ તે કહી શકાય નહીં. છેવટે મહેદર સીતા ઉપર બળાત્કાર કરવાનું રાવણને સૂચવે છે; પરંતુ આ ઉપાય પણ રાવણ સ્વીકારી શકે તેમ નથી. કેઈ પણ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ તેની ઉપર બળાત્કાર કરવો નહીં એવો આદેશ રાવણને પોતાના પિતામહ–બ્રહ્મા પાસેથી મળ્યું હતું. રામનું રૂપ લઈ સીતા પાસે જવું અને તેને વશ કરવી એ ઉપાય પણ શક્ય નથી, કારણ કે સીતા આગળ તેનું કપટ ચાલી શકે નહીં. લંકાની સીમાએ યુદ્ધની તૈયારીઓ ચાલતી હોય તે પણ કેદખાનામાં સીતા આનંદિત રહે એમ રાવણ ઇરછે છે. સીતાના મુખ ઉપર આનંદની રેખાઓ જણાય તે પણ રાવણે સંતુષ્ટ થઈ ઉત્સાહ સાથે રણમેદાનમાં યુદ્ધ લઢવા તૈયાર છે. રાવણની આ મનસિથતિ જોઈ મહાદર તેને કીડાપર્વત ઉપર લઈ જાય છે. ત્યાં ત્રિજ અને સરમાએ માયાનાટિકાને પ્રયોગ કરી યુદ્ધમાંના પ્રસંગો કપટ દ્વારા સીતાને બતાવવાની યેજના કરી હતી. આ કપટપ્રયોગ ચાલુ હોય છે તે જ વખતે રાવણ અને મહાદર ત્યાં આવી પહોંચે છે. મહાદર રાવણને રિઝવવાને પ્રયત્ન કરે છે, કારણકે સીતા વિશેની અભિલાષાને લીધે રાવણનું મન અસ્વસ્થ હોય છે. મહેદર તેનું ધ્યાન નાટકમાંના દ તરફ દેરે છે. ઝાડીમાંથી પસાર થતાં રાવણને મુગટ ડાળીઓમાં ફસાઈ જતું હોય છે. રાવણને એ વાનરને ઉપદ્રવ હોય એવું લાગે છે. તેથી તે ગુસ્સે થાય છે, પણ મહેદર એને એ નાટક હેવાનું યાદ કરાવે છે. નાટકનો એક દશ્યમાં લક્ષ્મણ એવું કહે છે કે રાવણ બીકથી સંતાઈને યુદ્ધ ટાળવાની ઇરછા રાખે છે. તે સાંભળી રાવણ ફરી ખિજાય છે; પણ મહેદર કહે છે, “તારા જેવા શૈલેવીર પ્રભાવ એક સત્ય
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy