SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 184. વિદુષક જોવા મળે છે, પરંતુ તત્કાલીન સમાજજીવનના અવગુણો જે રીતે તે વખતની વ્યક્તિઓમાં જણાઈ આવે છે, તે જ રીતે તે વખતની સંસ્થાઓ કે રીતરિવાજોમાં પણ પ્રતિબિંબિત થયેલા હોય છે, એ મહત્વનું તત્વ એરિસ્ટોફેન્સે જાયું હતું. અને તેથી, ખાલી રૂઢ પાત્રો ચિતરવા કરતાં, તેણે પિતાનાં નાટકૅની હેતુપુર:સર રચના કરી. તત્કાલીન યુદ્ધપિપાસા, ન્યાયાલયમાની લાંચરુશ્વત, વૈચારિક ક્ષેત્રમાં તથા રંગભૂમિ પર નવીનતાને આગ્રહ, તેમજ સામ્યવાદીઓની મહત્વાકાંક્ષા -જેવી વસ્તુઓને મર્મભેદક ઉપહાસ કરવા ખાતર તેણે વિનોદનું અસ્ત્ર વાપર્યું. એરિસ્ટોફેન્સ એ એક અભિજાત નાટકકાર હતે. નાટકમાં બીબાંઢાળ પાત્રો રચવા કરતાં માનવી સ્વભાવના વશિધ્યપૂર્ણ નમૂનાઓ તેણે પિતાના નાટકમાં ખડા કર્યા. શેફસ્પીયરની કલાનું રહસ્ય પણ એમાં જ છુપાયેલું છે. પાત્રોના નમૂના તૈયાર કરવા કરતાં, તેણે નમૂનારૂપ– આદર્શ પાત્ર તૈયાર કર્યા. લેહીમાંસવાળા છવંત સ્ત્રીપુરુષોનું ચૈતન્ય આપણને એનાં પાત્રોમાં જોવા મળે છે, અને તેને લીધે જ શેફપીયરનાં પાત્ર તેના જમાનામાં જેટલા જીવંત હતાં, તેટલા જ આજે પણ જણાય છે. આ સ્વભાવચિત્રાએ આપણું મન ઉપર એટલો કાબૂ મેળવ્યો છે, કે ખાલી ઐતિહાસિક તરીકે નહીં પણ નાટકનાં પાત્ર તરીકે, જીવંત વ્યક્તિરેખાઓ તરીકે તેમને ચાહીએ છીએ.૩ ગુણલ્યની બૃહત્કથામાં ગેમુખ નામનું એક પાત્ર આવે છે. એ પાત્ર વિશે ય વિદ્વાન લાકેત કહે છે, " ઉત્તરકાલીન નાટકારોએ આ પાત્રને ઉપયોગ પિતાના નાટકમાં કેમ ન કર્યો તે બદલ આશ્ચર્ય થાય છે. રંગભૂમિ ઉપરની નાટયકૃતિઓમાંના વિદૂષક અને વિટના સ્વભાવચિત્રણમાં ગોમુખના પાત્રાલેખનને ઘણ રે ભળી ગયા છે એ વાત ખરી, પરંતુ રૂઢ સાંયાનાં આ નાટકનાં પાત્રો મુખની સાથે બરાબરી કરી શકે તેમ નથી.” લાકેતનું પ્રસ્તુત વિધાન ખોટું નથી, પણ તેના કરતાં આશ્ચર્યકારક તે એ છે કે વિદી પાત્રો ચિતરવા માટેની સ્મૃતિ મેળવવા ઉત્તરકાલીને નાટકકારોને આટલે દૂર પણ જવાની જરાયે જરૂર ન હતી. કાલિદાસે શાકુંતલમાં ખુશામત કરનાર સેનાપતિ અથવા હુકુમશાહી ચલાવનાર લાંચખાઉ પેલિસ અધિકારીનું પાત્ર ચિતર્યું હતું. આ પાત્ર પછીના નાટકકારોને વિનદી ચિત્રણ માટે પ્રેરણા આપી શકે તેવાં હતાં. શુકના મૃછકટિકમાં તે વિવેદી પાત્રાનું એક અપૂર્વ વિશ્વ જ જોવા મળે છે. સીધે સાદે સંદેશો પહોંચાડવામાં પણ કેયડા. રૂ૫ પ્રશ્નો પૂછી મૈત્રેયને બે ઘડી હેરાન કરનાર ચેટ, ભીતિ અને શૌર્યથી ભરેલી વલ્ગનાઓ, જન્મજાત કૌર્ય અને પ્રેમનું પાગલપણું, શિયાળ જેવી ઉચાઈ સાથે
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy