SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ભરતનું નાટ્યશાસ્ત્ર અને અર્વાચીન દેશી ભૂમિને ઇતિહાસ આપણે જોઈએ તે નાટકનો આરંભ દેવવિષયક અથવા પૌરાણિક કથાવસ્તુઓ સાથે થયે હોવો જોઈએ એવું જણાય છે. ભારતે વર્ણવેલે પહેલે નાટ્યપ્રયોગ “દેવાસુરઇન્દ્ર” વિશે હતા. તેમાં અસુરેનું રૂપ વિકૃત અને હાસ્યાસ્પદ બતાવવામાં આવતું તેવું જોઈએ એવી કલ્પના કરી શકાય. સૌભદ્રમાં સુતેલી સુભદ્રાને તેના મહેલમાંથી ઊંચકી લઈ જનાર ધટેન્કચનું પાત્ર રંગભૂમિ ઉપર કેવું બતાવવામાં આવે છે તે આપણે ધ્યાનમાં લઈએ, તે આપણે ઉપર્યુક્ત કલ્પનાનું રહસ્ય જાણી શકીએ. યુરોપના નાટકમાં પણ “શેતાન “દુર્ગુણ, પાપ જેવા પાત્રનું ચિત્રણ વિકેદી પાત્ર તરીકે કરવામાં આવતું હતું એવું કહેવા આપણુ પાસે પ્રત્યક્ષ પુરાવો છે. તેથી અસુરને આપણે સંસ્કૃત રંગભૂમિ ઉપરનું પહેલું વિદી પાત્ર સમજી શકીએ. વિદૂષકની શારીરિક વિકૃતિ માટે જ ધાર્મિક આધાર આપવાની જરૂર હોય તે તે પણ દેવાસુરઇન્દ્રના નાટયગમાં મળી શકે. નાટકના વિકાસને બીજો તબક્કો પૌરાણિક નાટકોને કહી શકાય. દેવાસુર6% અને દેવેની છત જેવી પ્રતીકાત્મક કથાવસ્તુમાંથી દેવકથા તરફ - દેવોનું વ્યાવહારિક જીવન વર્ણવતી કથા તરફ - સંસ્કૃત નાટન કથાપ્રવાહ વહેવા લાગ્યો. પરિણામે દેવોના પાત્રમાં પણ માનવી ભાવનાઓનું ચિત્રણ કરનારી કથા હેય એવા નાટકોની રચના થવા લાગી. આવા નાટમાં નારદનું પાત્ર હોવું જ જોઈએ. નારદે નાટકને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હેવાનું ભરતે ઉલેખ્યું છે. નારદમાં વેદવિદ્યાનું પ્રાવીય, વિનોદી સ્વભાવ, અને એકબીજામાં ઝગડા નિર્માણ કરી તેમની મજા માણવાની ટેવ જણુઈ આવે છે. દેવનાયકે માટેના વિનાદી અને હેશિયાર સહચરની પાત્રતા આપણે નારદમાં જોઈ શકીએ છીએ. તે સાથે તેની ટટાર રહેતી એટલી ધ્યાનમાં લાઈએ તે તે ઉપરથી વિદી પાત્રને નમૂને કેરી રીતે તૈયાર થયે હે જઈએ એ ઝટ સમજી શકાય. તેથી, મને એવું લાગે છે કે સંસ્કૃત રંગભૂમિને પહેલે વિપક નારદ જ હે જોઈએ. ભરતપુત્રોએ નાટકના પ્રયોગમાં ઋષિઓની મશ્કરી કરી. તેથી ઋષિઓએ તેમને શાપ આપ્યો. પછી નહુષ રાજાએ સ્વર્ગમાંની નાટ્યકલા પૃથ્વી ઉપર લાવવા માટે બ્રહ્મદેવ પાસે યાચના કરી, અને બ્રહ્મદેવે ભરતપુને પૃથ્વીલોકમાં જઈ શાપમુક્ત થવાને આદેશ આપ્યો. એવી એક કથા ભરતના નાટયશાસ્ત્રમાં જોવા મળે છે. સંસ્કૃત નાટકે પૌરાણિક લિયેથી સામાજિક વિષય તરફ વળ્યાં એને એક સૂચક અથે પ્રસ્તુત કથામાં રહે છે. ભરતપુત્રો વષિઓની મશ્કરી કરવાને
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy