SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એવું મેરેડિથ કહે છે. તેના મત પ્રમાણે વિદી લેખક અને તત્વચિંતકુએ બેમાં ભાઈચારે છે, કારણ કે બંને પાસે જીવનની એક પ્રકારની દૃષ્ટિ હોય છે. વિવેદી સાહિત્ય એ ડહાપણને ઝરે છે. વિવેદી દષ્ટિ માણસમાં બંધુભાવ નિર્માણ કરે છે. વિદમાંથી ઝરતું વ્યાવહારિક ડહાપણ માણસ જ્યારે સમજે, ત્યારે તે એકબીજાની વધુ નજીક આવે છે. ઝેરિલે ટીકાકાર જીવનથી પરાભુખ થયેલ હોય છે, પણ વિવેદી ટીકાકાર જીવનને વધુ સમીપ આણે છે. વિનેદને લીધે દિલ ખોલીને કરવામાં આવેલું હાસ્ય સુસંસ્કૃતપણુનું ચિહ્ન છે. જે દેશની સંસ્કૃતિ વિકસિત નથી ત્યાં ખરા અર્થમાં વિદી સાહિત્ય નિર્માણ થઈ શકે નહીં. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ખરા વિનદી સાહિત્યને ઉદ્દે માણસને હસાવીને વિચાર કરતા કરી દે એ છે. 22 વિસંગતિ પ્રસંગનિષ્ઠ અથવા વ્યક્તિનિષ્ઠ હોઈ શકે. સામાન્ય રીતરિવાજેથી વિરુદ્ધ એવા પ્રસંગે અથવા વ્યક્તિઓ જોવાથી આપણને વિસંગતિનું જ્ઞાન થાય છે એમ બસ કહે છે. જે વ્યક્તિમાં વિસંગતિ હોય તે માણસનું વૃત્તિ હોતી નથી. એવી વ્યક્તિના એકલસૂરિલાપણું ઉપર ટીકાને પ્રકાશ નાખી તેની હાસ્યાસ્પદતા જાહેર કરવી એ વિનોદનું કાર્ય છે એમ બસાં માને છે. કોઈ વ્યક્તિ જીવનપ્રવાહથી દૂર ચાલી જાય, પોતાની વિચિત્રતાનું તેને ભાન પણું ન હોય, હર્ષક્રોધથી ભરેલ પ્રસંગો, અથવા વ્યાવહારિક જીવનમાંની હંમેશની આપ-લે, સામુદાયિક જીવનમાં વ્યક્તિની જવાબદારી - વગેરે બાબતે એની ધ્યાનમાં પણ ન હોય એ ખરેખર આશ્ચર્યભર્યું કહેવાય. એવી વ્યક્તિ ઉપર ટીકાને પ્રકાશ ફે કવો, અથવા વખત આવે મર્મભેદક પ્રહાર કરવા એ વિનોદનું કાર્ય છે. ટૂંકમાં, જીવન વિશેની એકાંગી દષ્ટિ સુધારવા વિનંદી સાહિત્યને ઉપયોગ વિનોદી સાહિત્યમાં, વિનેદને આવશ્યક એવાં બધાં જ તો હાવાં જરૂરી છે, એવો આગ્રહ સેવવો કેટલે અંશે બરાબર છે, એ પ્રશ્નનો વિચાર કરવો મહત્ત્વ છે. આ વિચાર મુખ્યતઃ અલિપ્તતા, સહાનુભૂતિ અને વિનેદના ઉદ્દેશ વિશે કર જોઈએ. મેરેડિથ અને બન્ને વિનેદની સામાજિક ભૂમિકા અભિપ્રેત છે. મેરેડિથ પિતાની સામે વિવેદી સાહિત્યનું આદર્શ સ્વરૂપ રાખે છે. જેમાં સામાજિક રીતરિવાજને પરિહાસ હોય એવા સાહિત્ય વિશે તેને ખાસ કહેવું છે. માલિયર
SR No.032745
Book TitleVidushak
Original Sutra AuthorN/A
AuthorGovind Keshav Bhatt
PublisherL D Indology Ahmedabad
Publication Year1981
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy