SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબ્રાંતિ સમ રોગ નહિ ત્યાં સુધી બીજા દુઃખ દૂર થાય નહીં. માટે જીવે પ્રથમ પુરુષાર્થ કરવાને છે તે સભ્યપ્રાપ્તિને જેથી મિથ્યાત્વ આપોઆપ ચાલી જાય. રોગનું નિદાન થયા પછી બે વસ્તુ-એક તે દવા અને બીજી પરહેજ, બને સરખાં જ મહત્ત્વપૂર્ણ બેમાંથી એક હોય તે બિમારી દૂર ન થાય. બનેને બરાબર સેવવા જોઇએ. ઊંચામાં ઊંચી દવા લે અને સાથે જે પરહેજ કરવાની છે તે ન કરો તે દવા ક્યારેક ઝેરનું કામ કરે. રોગ વધી જાય ને મૃત્યુની નોબત આવે. તેથી પરહેજ તે જોઈએ જ. બીજી બાજુ માત્ર પરહેજ કર્યા કરે અને દવા ન લે તે પણ ન ચાલે. કદાચ રોગ વધતું અટકી જાય પણ સમૂળે નાશ ન થાય. [અહીં શ્રીમદ્દજી પ્રથમ પરહેજ બતાવે છે. પછી દવા. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં મિથ્યાત્વને દૂર કરવા માટે કઈ જીવ સ્વચ્છેદે વત્યે જાય તેથી જ એક અનુભવી કવિએ કહ્યું છે - હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં તે તેનું ફળ લેશ ન પામે, ભવ રેગો કદી જાય નહીં.... પ્રભુના નામરૂપ રસાયણ હંમેશાં સેવતે હેય. પણ જીવનમાં જેજે પચ્ચેનું પાલન કરવાનું છે. તે જે ન થાય, હિંસાદિ દોષથી નિવવાનું ન થાય તે એ રસાયણ કંઈ જ ફળ આપે નહીં. સંસારરૂપ રોગ જીવને લાગે છે તે દૂર થાય નહીં માટે રસાયણ સાથે પશ્યની અનિવાર્ય આવશ્યકતા છે. અહીં શ્રીમદ્જી પ્રથમ પરહેજ બતાવે છે. પછી “ઔષધ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં મિથ્યાત્વરૂપ રોગને દૂર કરવા માટે જીવ સ્વચ્છ દે વ જાય. પિતે જ ઉપાય જયા કરે અને ગુરુ આજ્ઞા ન માને તે રોગ મટે નહીં. માટે ઔષધ દેતાં પહેલાં શ્રીમદ્જી શરત મૂકે છે કે તારી પગ્ય પાળવાની તૈયારી છે ? તે જ ઔષધ મળશે. અન્યથા નહીં. બંધુઓ ! ગુરુદેવની આજ્ઞા જ જીવન રાહ બતાવી શકે. સ્વછંદને તેડી શકે. આ શાસ્ત્રની ભૂમિકામાં જ સદ્ગુરુના માહાભ્યને શ્રીમદ્જીએ ખૂબ વર્ણવ્યું છે. જીવન અનાદિ મિથ્યાત્વભાવ સદગુરુના શરણ વિના, તેમની આજ્ઞાનું પાલન વિના જાય નહીં. જીવને પ્રથમ અંતરમાં એ
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy