SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ 14 હું આત્મા છું તે અનંત દેહ છોડી ને ન આવ્યું હોત. અનાદિકાળથી એક જ દેહ હોત પણ એમ બન્યું નથી. બનશે પણ નહીં તેથી જ અહીં સાધક શિષ્ય ને જ્યારે નિજ આત્માનું ભાન થયું ત્યારે એ સમજાયું કે વિનાશી ધર્મવાળે પદાર્થ તે હું નહીં. હું તેનાથી જુદો અવિનાશી નિત્ય દ્રવ્ય આત્મા છું. દેહ વિનાશી અને હું અવિનાશી છું એટલે જ મારું સ્વરૂપ દેહથી રહિત છે. અર્થાત્ હું દેહાતીત છું. મારી તે સિધ્ધ સાથે સ્વરૂપ એક્તા છે. જેવું સિદ્ધનું સ્વરૂપ દેહ રહિત માત્ર શુદ્ધ-નિત્ય-અવિનાશી આત્મા સ્વરૂપ છે. હું પણ તે જ છું. કશે જ ફરક નહીં. અત્યાર સુધીના બધાજ અનુભવે દેહાત્મબુદ્ધિથી કર્યા પણ તે બહિરંગ અનુભવે હતાં. મારું અંતરંગ સ્વરૂપ દેહાદિથી અત્યન્ત ભિન્ન છે અને એ મેં હવે અનુભવ્યું જે આત્મા દેહાતીત ન હેત તે જ્યારે જ્યારે મરણ થયું ત્યારે દેહને સાથે લઈને જ ગયે હેત. પણ એમ કદી બન્યું નથી. એક જન્મથી બીજા જન્મમાં જાય ત્યારે આત્મા એકાકી જાય છે. હા, સુક્ષ્મ શરીર રૂપ તૈજસ-કાશ્મણ શરીર તેની સાથે હેય છે. પણ એ જ્યાં સુધી જીવ, સંસારી છે ત્યાં સુધી જ સાથે રહે છે. પણ જ્યારે એ સર્વ કર્મથી મુક્ત થઈ જાય છે ત્યારે દેહાતીત થઈ માત્ર એકાકી જ સિદ્ધાલય સુધી પહોંચી જાય છે. શિષ્ય ને પિતાના આત્મામાં જ પિતાનું સ્વરૂપ સ્પષ્ટ થતું જાય છે. ગુરુદેવે કહેલ “આત્મા નિત્ય છે પદ પર ઊંડી વિચારણા કરતાં, ગહન ચિંતન કરતાં તેને પિતાનાં નિત્યત્વનું ભાન થયું અને નિત્ય એ આત્મા અજર, અમર, અવિનાશી અને દેહાતીત જ હોય તે તેણે અનુભવ્યું. શિષ્ય આત્મ અનુભવની દશામાં આગળ વધી રહ્યો છે. વિકસિત પરિણામધારા, આત્મશુદ્ધિ કરી રહી છે. હવે શિષ્ય આગળ શું અનુભવ કરે છે તે અવસરે
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy