SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ હું આત્મા છું માવ્યા. વિચાર તે કર! આ આખી જીંદગી માત્ર તારી જ આળપંપાળમાં ગાળી. મેં મારી સામે તે જોયું જ નહીં. હવે જ્યારે મારે જવાનો સમય થયો છે ત્યારે તને છોડીને કેમ જાઉં.? મને ન ગમે! માટે તું મારી સાથે ચાલ! આત્મા કાયાની સામે આટલા કાલાવાલા કરે છે, વિનવે છે, પિતાને એકલા જવું પડે છે એની લાચારી વ્યક્ત કરે છે, બિચારે ગરીબડો થઈ તેને સાથ આપવા આજીજી કરે છે. પણ કાયા તે સણસણતે રેકર્ડ જવાબ પરખાવી દે છે. તે કહે છે– જીવ સુને યા રીત અનાદિ, કહા કહત બારબારે, મેં ન ચલુંગી તેરે સંગ ચેતન, પાપ પુણ્ય દોઉ લારે...રે....કાયા અરે જીવ ! તું કેમ સમજતા નથી. આ તે અનાદિની રીત જ આમ છે. હું કદી તારી સાથે આવી નથી અને આવીશ પણ નહીં. તે નહીં જ આવું તારી સાથે પણ જે તારા જ કરેલા પુણ્ય અને પાપ તારી પાછળ-પાછળ આવે છે. જા તેને લઈ જા. મારી સાથે આવવાની અપેક્ષા છોડી દે. કાયાને જડબાતોડ જવાબ સાંભળી આત્મા ચૂપ થઈ ગયે. બેલવા પણ કાંઈ રહ્યું નહી. ત્યારે આનંદઘનજી મહારાજ આત્માને સમજાવે છે. સાચો રાહ બતાવે છે. છનવર નામ સાર ભજ આતમ, કહા ભરમ સંસારે સુગુરુ વચન પ્રતીત ભયે તબ, આનંદઘન ઉપકાર...રે..કાયા ચલે છ સંગ હમારે, કાયા ! ચલો જી સંગ હમારે...... હે આતમ ! ભ્રમરૂપ સંસારમાં એક સાર હોય તે માત્ર અને –શરણ ચા જઈ તેમનાં વચન પર દઢ વિશ્વાસ અને પ્રતીતિપૂર્વક, એ વચનેને આચરી લે તે જ તારા આત્મા પર તારો ઉપકાર થશે. અને આનંદ ને ઘન એ આત્મા તને અનુભવાશે.
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy