SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 124 હું આત્મા છું છે. આ દેહને ગમે તે રુટ-પુષ્ટ બનાવ્યું, ગમે તેવો સજા, સુંદર દેખાવા માટે ખૂબ શણગાર્યો, તેના માટે ગમે તેટલા પાપો કર્યા પણ અંતે તે તેની રાખ જ થવાની. તેથી તે રાખ સમાન છે. જગતના ભેગ-વિલાસ માછીની જાળ જેવા છે. તેમાં ફસાયા પછી નીકળવું બહુ જ મુશ્કેલ! ભેગો મેતના મુખમાં જ ધકેલે છે. અને પરંપરા પણ ભોગ-ભાવનાની જ ઊભી થાય છે તેથી ભેગ-વિલાસ જાળ જેવા જ છે. જ્ઞાની જીવને ભવ વિષે નિત્ય ખેદ વર્તતે હોય તેને સંસારમાં રહેવું પડે તે પણ ભાલાની અણી પર જીવતા હોય તેવું લાગે. પરિવારની પળો જણ કાળ જેવી ક્રૂર લાગે. ગમે નહીં પણ કરવી પડે માટે જ કરતે હોય. સાંસારિક ઈજજત વધારવાના પ્રયત્ન મુખમાંથી ટપકતી લાળ જેવાં ગંદાં લાગે. એ ઈજજત મળી તે ય શું અને ન મળી તે ય શું? તેની કશી એ કિંમત નથી. તેથી જ જેને ખરેખર અંતર લગની લાગી હોય કૃષ્ણની લગની લાગી તે તેણે લેક-લાજને વેગળી મૂકી દીધી. લેક-લાજની કશી યે કિમત નથી. તેમાં ય અધ્યાત્મ માર્ગે જે જીવને આગળ વધવું છે તે જે લેક-લાજમાં પડ્યો રહે તે અધ્યાત્મ સાધી શકે નહીં. તેની ગતિ તે સંસારથી ઉલટી જ હેય. યશ-કીતિને મેળવવાની કે વધારવાની ઈચ્છા નાના મેલ સમાન અથડાવનાર છે. માટે યશ-કીતિને ઈચ્છવા યોગ્ય નથી. વળી પુણ્યના ઉદયને વિષ્ટા સમાન માને છે કે જે ભેગવવા જેવા નથી. કારણ પુણ્યના ઉદને ભેગવતાં રાગાદિ ભાવ જાગે અને ફરી કર્મબંધન થાય તે માટે વિષ્ટા સમાન ત્યાજ્ય છે. આવી સર્વ ભાવનાએ જેના ચિત્તને વિષે વર્તે છે, જેની દૃષ્ટિ બદલાઈ ચૂકી છે. સંસારમાં રહેવા છતાં તે જલકમલવત સંસારથી અલિપ્ત રહે છે. પિતાને સંસારમાં રહેવું પડે છે માટે રહ્યો હોય, પિતામાં સંસાર ન રહે. જેમ નાવ પાણીમાં રહે, પણ પાણી નાવમાં રહે તે નાવ ડૂબી
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy