SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 248 હું આત્મા છું કરવા પ્રયત્ન નહીં કરે પડે. મોરને ટહૂકાર સાંભળી ચંદનવૃક્ષ પર રહેલાં સર્પો નાશી છૂટે તેમ સ્વભાવ જાગતા વિકારે આપોઆપ ચાલ્યા જશે. દર્શન મેહનીયને દૂર કરવા બેધ” પ્રગટ કરવાનું છે. બેધને અર્થ સમજવા જેવો છે. સૂચક છે. આપણને સર્વ પ્રથમ કઈ પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે તે કયાં કમથી થાય છે તે જોઈએ. ઈન્દ્રિય અને પદાર્થને સંયોગ થવાથી સર્વ પ્રથમ માત્ર સામાન્ય અવધ થાય છે. કંઈક છે એટલું જ થાય છે તે છે દર્શન કંઈક છે એ થયા પછી શું હશે ? શું હશે ? આવી જાતની વિચારણા તે “અવગ્રહ.” તે પછી આ હશે કે પિલું હશે ? જેમાં નિર્ણય નથી થતું તે છે “હા”. તે પછી લક્ષણો પરથી જાણી લેવું કે આ જ છે. તેવું નિર્ણયાત્મક જ્ઞાન તે “અવાય અને નિર્ણય થયા પછી લાંબા સમય સુધી સ્મૃતિમાં ટકી રહે તે “ધારણા. બહુ જ અલ્પકાળમાં આટલી પ્રેસિજરમાંથી પાસ થઈ જઈએ તેથી ખબર નથી રહેતી કે આટલે લાંબો કમ ચાલ્યા પછી જ્ઞાન થયું. આપણે માનીએ છીએ કે પદાર્થને જે કે તરત એ પદાર્થનું જ્ઞાન થઈ ગયું. પદાર્થનું જ્ઞાન થાય તે વસ્તુનો બોધ થયે કહેવાય. એ જ રીતે સદ્ગુરુના ઉપદેશથી સાંભળીને, વિચારીને, ચિંતન કરીને આત્માનાં શુદ્ધ, નિર્મળ, અવિકારી, તિસ્વરૂપને પ્રગટશે જાણવું તે બધી છે. જેને બેધિબી જ કહીએ, ભેદવિજ્ઞાન કહીએ, આત્મસાક્ષાત્કાર કહીએ. આ બધ જાગૃત થતાં અનાદિકાળની વિપરીત માન્યતાઓ છૂટી જાય છે. કર્તાપણાની તથા ભેકતાપણાની બુદ્ધિ છૂટી જઈ પિતે ત્રિકાળી જ્ઞાનસ્વરૂપી આત્મા છે. એવી શુદ્ધ પ્રતીતિ વતે છે. આ બોધ જ દર્શનમેહનોય ને હણવા સમર્થ છે. પછી એ ઉપશમભાવે હણે, પશમભાવે હણે કે ક્ષાયિક ભાવે હણે પણ દર્શન મેહનીયને ટકવા ચારિત્ર મેહનીયને નાશ “વીતરાગતા થી થાય છે. વીતરાગતા અર્થાત રાગ-દ્વેષ રહિતની દશા. જેમાં સંપૂર્ણ આત્મસ્થિરતા છે. આત્માની અસ્થિરતા
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy