SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ્ય સ્થાન નહીં કેય 141 “કેણ તારા ગુરુદેવ ?" મહારાજ ! આપનાં પૂર્વાશ્રમના મિત્ર! જેઓ સંન્યસ્ત અવસ્થામાં છે.” “મહાન ચમત્કારિક છે આ રસ. આપને ઉપયોગી થશે !" “મને ? મને શું ઉપગ એને?” મહારાજ ! આ રસને પથ્થર પર નાખતાં પથ્થર સેનું થઈ જશે!” પણ હું શું કરું એને ? “અરે ! મહારાજ ! સમજ્યા નહીં ? આ રસાયણ આપની પાસે હશે તે હજારે લેકે આપના ચરણ ચૂમતા આવશે !" ભક્તોને તે છોડીને આવ્યું જે સમાજ, ભક્ત થઈને મારી પાછળ ફરતું હતું, તેમાંથી છૂટી, અલખની આરાધના કરવા અહીં આવ્યો છું અને એ કરી રહ્યો છું. મારે હવે ભક્તો અને સેવક નથી જોઈતા !" અને આવેલા સંન્યાસીને થયું આ અઘોરી સમજતો નથી. એ શું જાણે કે આની કિંમત કેટલી હોય ? ખાખરાની ખીસકેલી, સાકરને સ્વાદ શું જાણે? અને તે ફરીથી વિનવવા માંડ્યો. પણ આનંદઘનજી જેનું નામ. એ તે પિતાના આત્મનંદમાં રસબળ હતા તેમને આવાં રસાયણે સાથે શું મતલબ ? અને જ્યારે પેલે આગતુક માનતા નથી, ત્યારે એ રસને કૂપ ઉપાડીને દૂર ફેંકી દીધે. પેલે જોઈ રહ્યો. અરે! મારા ગુરુની વર્ષોની મહેનત આણે ધૂળમાં મેળવી દીધી. અફસેસ કરવા માંડ્યો. આનંદઘનજી ઉઠ્યા અને પેલાને સમજાવવા માટે કે આવી સિદ્ધિઓ અમારી ચારે બાજુ ઘૂમે છે પણ અમે એની દરકાર નથી કરતા. અમારે મન તેનું મૂલ્ય ધૂળ જેટલું પણ નથી, તેઓ થોડે દૂરની એક શિલા પર ગયા અને ત્યાં જઈ મૂત્ર વિસર્જન કર્યું અને એ જ ક્ષણે પથ્થરની
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy