________________ 43. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ કર્તા ભકતા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. 122 મિક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથક સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ચથ. 123 અહો ! અહા ! શ્રીસદ્ગુરુ, કરુણસિંધુ અપાર; આ પામરપર પ્રભુ કર્યો, અહા! અહે! ઉપકાર. 124 શું પ્રભુચરણ કને ધરુ, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયે, વધુ ચરણધીન. 125 આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. 126 ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યું આપ; માનથકી તરવારવત, એ ઉપકાર અમાપ. 127 ઉપસંહાર - દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી, વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. 128 આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. 129 જે ઇચ્છો પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માર્થ. 130 નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં ને; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. 131 નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. 132