SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ લહવું સ્વરૂપ ના વૃત્તિનું 265 ધર્મોથી નિવત્ત થાય નહીં. કષાયાદિ વિભાવને સ્વભાવ માની એમાં જ ર–પએ રહેતું હોય તે મતાથી. માટે જ વ્રત રૂપ વાડ બાંધે અને ઉપરનાં પક્ષીઓના ઉડાડવાની રીત જાણી લ્યો. તે માટે વૃત્તિઓને તપાસતાં શીખે. બંધુઓ ! વૃત્તિઓને તપાસવાનું સાધન એટલે આપણું પ્રતિક્રમણ! આપણે સમાજના મોટા ભાગના માણસે પ્રતિક્રમણને સમજ્યા નથી. તેથી તેઓ માનતા હોય છે કે પ્રતિક્રમણ કરવાથી શું? અરે ! પર્યુષણના દિવસોમાં અથવા એક સંવત્સરીનું પ્રતિકમણ પણ કરવાનું મન થતું નથી. મને યાદ છે-ઘણાં વર્ષો પહેલાં એક યુવાન ભાઈની જિજ્ઞાસાના કારણે તેઓને પ્રતિકમણ શું છે તે સમજાવ્યું તે તેઓની આંખમાં પાણી આવી ગયાં. તેઓ કહે “મહાસતીજી ! માફ કરજે. અમે તે પ્રતિકમણને આ રીતે સમજ્યા જ નથી. તેથી પ્રતિકમણની તથા પ્રતિકમણ કરનારની આશાતના અમે ખૂબ કરી છે, તેઓ કહે “સંવત્સરીનું પ્રતિક્રમણ કરવા જવું તે ન હેય પણ પરાણે ઘરમાંથી ધકેલે એટલે જવું પડે. થોડું અંધારું થાય એટલે જઈએ. અને 40 લેગસ્સનો કાઉસગ્ગ બધા કરે ત્યારે સાથે લઈ ગયેલા બે-ત્રણ કીલે ભજીયાંમાંથી બધાના હાથમાં એક - એક ભજીયું મૂકી આવીએ અને રફુચક્કર થઈ જઈએ. પછી લકે બૂમાબૂમ કરે. કોણે મૂકયાં? કેણે મૂક્યાં? કેણ જવાબ દે?” બંધુઓ ! વિચારે! કઈ પરિસ્થિતિ છે? કેવી મનોવૃત્તિ છે? કેવી મશ્કરી ? ધર્મની કેવી અવહેલના ? આ બધું શા માટે? સમજણને અભાવ. પણ પ્રતિક્રમણ એ શું છે? કયારે ય વિચાર્યું છે? તેમાં બીજું કશું જ નથી. માનવ મનની સહજ વૃત્તિઓનું દર્શન તથા એ વૃત્તિઓને કારણે થતી પ્રત્તિઓનું દિગ્દર્શન! જે પ્રવૃત્તિઓને અતિચારનું નામ દઈ વર્ણવી છે. વળી આ પ્રતિક્રમણ કરવાની જે પ્રક્રિયા છે તે પણ કેટલી સાર્થક છે! શરૂઆતમાં થતે પહેલે કાત્સગ શા માટે કરવામાં આવે છે તે બતાવતાં કહ્યું છે “અતિચાર ચિંતવનાથે કરેમિ કાઉસગ્ગ
SR No.032737
Book TitleHu Aatma Chu Part 01
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy