SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 126 સ્વાધ્યાય પુષ્પસૌરભ આખી મંડળીએ નહીં લધેલું (નહીં રજા આપેલું) તેમાં એક જણ સાધુને આપે તે “અનાવૃષ્ટિ દેષ.” 16 સાધુનું આવવું સાંભળી પોતાને માટે કરાતી રસવતી પ્રમુખમાં વધારે તે “અધ્યવપૂરક દેષ.” આ સેળ દોષ આહાર દેનારથી લાગે છે. હવે સાધુથી થતા ઉત્પાદનના 16 દોષ આ પ્રમાણે 1 ગૃહસ્થમાં બાળકને દૂધ પાવું, નવરાવવું, શણગારવું, રમાડવું તથા ખોળામાં બેસાડવું ઈત્યાદિ કર્મો કરવાથી મુનિને ધાત્રીપિંડ નામે દોષ લાગે છે. 2 દૂતની પેઠે સંદેશ લઈ જવાથી સાધુને “દૂતિપિડ' નામે દેષ લાગે છે. 3 ત્રણે કાળના લાભાર્લભ જીવિત મૃત્યુ આદિ નિમિત્ત કહેવાથી “નિમિત્તપિંડ' નામે દેષ લાગે છે. જે ભિક્ષા માટે પિતાના કુળ, જાતિ, કર્મ, શિલ્પ આદિકના વખાણ કરવાથી “આજીવપિડ' નામે દેષ લાગે છે. જે ગૃહસ્થની પાસે દીપણું જણાવીને ભિક્ષા લેવાથી “વની પકપિંડે નામે દૈષ લાગે છે. ભિક્ષાપ્રાપ્તિ માટે ઔષધાદિક બતાવવાથી ‘ચિકિત્સાપિંડ નામે દેષ લાગે છે. 7 ગૃહસ્થને ડરાવી, શ્રાપ દઈને આહાર ગ્રહણ કરવાથી કેપિડ' નામે દોષ લાગે છે. સાધુઓની પાસે એવી પ્રતિજ્ઞા કરે કે “હું તે લબ્ધિમાન, કે જે અમુક ઘરેથી સારા આહાર તમને લાવી આપું” એમ કહી ગૃહસ્થને વિડંબના કરી આહાર ગ્રહણ કરે તેથી “માનપિંડ નામે દોષ લાગે છે. હું ભિક્ષા માટે જુદા જુદા વેષ તથા ભાષા બદલવાથી માયા પિંડ' નામે દેષ લાગે છે. 10 અતિ ભવડે ભિક્ષા લેવાં માટે ઘણું ભટકવાથી પિંડ નામે દોષ લાગે છે. 11 પહેલાં ગૃહમાં માં-બાપની તથા પછી સાસુ-સસરાની પ્રશંસાપૂર્વક તેમની સાથે પોતાને પરિચય જણાવવાથી પૂર્વપશ્ચાતું સંતવ નામે દૈષ લાગે છે. 12-13-14-15
SR No.032734
Book TitleSwadhyaya Pushp Saurabh
Original Sutra AuthorN/A
AuthorHemendrashreeji
PublisherGhelabhai Karamchand Senetorium
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy