SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ સુરક્ષા સારાય ? દીવાન રણછોડજી ચોરવાડ હતા અને ગોવિંદજીના દીકરા અનંતજી ઊતા હતા તેઓએ નવાબને મુલક લૂંટવા માંડે અને ઘઘલા, સરસિયા, માળિયા, કાગવદર આદ્રી, શેરગઢ અને કેડીનાર લૂટયાં, નવાબના લશ્કરના જમાદાને પકડયા માધવંછ નામના વણિક સેનાનીએ બીકના માર્યા આપઘાત કર્યો. દીવાન રણછોડજી તથા અને તજીના બળવાથી નવાબ શાંતિ પકડવાને બદલે ઉશ્કેરાયે, અને તેણે કેદખાનામાં પ્રભાશંકર વસાવડા તથા દયાલજીને ઘાત કર્યો. રણછોડજીએ પિતાનું બંડ. છ માસ ચાલુ રાખ્યું. તેમને પાટણને કિલ્લ દેસાઈ જીભાઈએ સેંપાવી દીધું અને તેમની સાથે રાજનૈતિક મતમતાંતર છતાં દુઃખમાં સામેલ રહ્યા. તે વખતે બિનશરતે રૂગનાથજીને નવાબે કેદમુક્ત કર્યા અને નવાબે માફી માગી; પણ જૂનાગઢમાં રહેવું ગ્ય ન જણાતાં આખા કુટુંબે સ્વેચ્છાથી હદપારી સ્વીકારી. જીતેલા કિલ્લાઓ પાછા સેંપી, રાજી જઈ નિવાસ કર્યો. જામનગર : જામનગરમાં મેરુ ખવાસ દીવાન અમરજી જેટલો જ બળવાન થઈ પડયું હતું, પરંતુ તે નિમકહલાલીની વાત કરવા છતાં જામસાહેબને કેદી જેવી હાલતમાં રાખી, પિતાનું વર્ચસ્વ તેના ઉપર જમાવી બેઠે હતે. તેણે અમરજીએ કે રૂગનાથજીએ નવાબને જેટલી સ્વતંત્રતા આપી હતી તેટલી સ્વતંત્રતા જામસાહેબને આપી ન હતી, એટલું જ નહિ, પણ જામસાહેબ મેરુ સામે આંખ ઊંચી કરવા તે શું, પણ તેના વિરુદ્ધ વિચાર કરવા માટે પણ શકિતમાન ન હતા. ઈ. સ. ૧૭૮૮માં મેરુએ જામનગર ફરતો કેટ બંધાવ્યું તથા ફરતી ખાઈ ખદાવી. જામનગરમાં પૂરતું બંદેબસ્ત કરી, દીવાન અમરજીની અદાથી કોટડાપીઠા આટકોટ વગેરે કાઠીઓનાં ગામો ઉપર ચડાઈ કરી તે જીતી લીધાં અને ત્યાં ઈ. સ. ૧૭૯૨માં પિતાનાં થાણાં બેસાડ્યાં તશા અનેક ગિરાસદારો પાસેથી જમા વસૂલ લીધી. - ભાવનગર : રાવળ વખતસિંહે ઈ સ. ૧૯૯૪માં કાઠીઓ સામે વ્યવસ્થિત વિગ્રહ શરૂ કર્યો અને કાઠીઓએ પણ આ પ્રશ્ન પતાવી દેવા કમર કરી. કાઠીઓને અંતિમ પ્રયાસ : ઈ. સ. 1768: રજપૂત રાજાઓએ કાઠીઓને ઉત્તર પૂર્વ તેમજ મધ્ય સૌરાષ્ટ્રમાં પારપત કરી તેઓનાં ઘણાં ગામે જીતી લીધેલાં. * 1. “તારીખે સેરઠમાં મોરારજીને કેદ કર્યા અને મેરારજી ઉના હતા તેમ દર્શાવ્યું છે તે ભૂલ છે. પાછળથી તે પાનામાં અનંતજી ઉના હતા તેમ જણાવ્યું છે. !" '' 2. “તારીખે સેરઠમાં ધોળા છે, પણ તે ઘઘલા હેવું જોઈએ. - ' . આ ગામો આટકોટ, સાંથળી, કોટડાપીઠા, બાબરા, કરિયાણું, ભડલી, બરવાળા, અંબાળા, ચલાલા, આણંદપર અને ભાડલા હતાં. યદુવંશપ્રકાશઃ શ્રી માવદાનજી. : "
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy