SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 302 સૌરાષ્ટ્રને ઇતિહાસ તે ઉપરાંત પઠાણે, મકરાણીઓ, આરબ, મિંયાણા, જત વગેરે પરદેશથી ધંધાર્થે આવેલા મુસલમાને આ દેશના વતની થઈ રહ્યા. લેખક: સુલતાનોએ પિતાને ઈતિહાસ ફારસી ભાષામાં લખાવેલે. તે તેમજ સમકાલીન લેખકે લખેલા ઈતિહાસના ગ્રંથ ઉપરથી મળેલી ઘણું હકીક્ત ઈતિહાસ લખવામાં ઉપયોગી થઈ છે. તે પૈકીનાં મુખ્ય પુસ્તકે નીચે મુજબ છે: 1. મુઝફફરશાહી : ઈ. સ. 1391 થી ઈ. સ. 1411 સુધીને ઈતિહાસ. 2. અહમદશાહી : ઈ. સ. 1411 થી ઈ. સ. 1441 સુધીને ઈતિહાસ. 3. તબક્કાતે મહમદશાહી : ઈ. સ. 1513 સુધીને મહમદ બેગડાનો ઈતિહાસ, 4. મુઝફફરશાહી (બીજ) : ઈ. સ. 1526 સુધીને ઈતિહાસ. 5. બહાદુરશાહી : ઈ. સ. 1576 સુધીને ઈતિહાસ. 6. તુહફએ સઆદત. 7. કિતાબુલ આસરી મહમુદશાહી : ઈ. સ. 1554 સુધીને ઈતિહાસ. 8. મુઝફફરશાહી (ત્રીજી) : ઈ. સ. 1573 સુધીનો ઈતિહાસ ગુજરાતી સાહિત્યમાં કાવ્યો અને ધર્મગ્રંથ લખાતાં. તેમાંથી નીચેનાં ગણનાપાત્ર ગણું શકાય: ગુજરાતીમાં “વસંતવિલાસ” નામના ગ્રંથની અમદાવાદમાં ઈ. સ. ૧૪૫રમાં આચાર્ય રત્નાકર નામના વિદ્વાને નકલ કરી. આ ગ્રંથ સચિત્ર છે. નરસિંહ મહેતાએ પણ આ યુગમાં જ તેમનાં કાવ્ય અને પદે લખ્યાં. કવિ પદ્મનાભે ઈ. સ. ૧૪૫૫માં " કાન્હડદે પ્રબંધ” નામના કાવ્યગ્રંથ લખે. આ સિવાય અનેક ભક્ત, કવિઓ અને લેખકે એ પિતાની કૃતિઓ રચી તેને જનતામાં પ્રચાર કર્યો. સતો: મુસ્લિમ સંતે અહમદશાહ, શાહઆલમ અને જમિયલશાહ દાતાર સુલતાનના સમયમાં થયા. તેઓના આશ્રયે અને આશીર્વાદે સલ્તનત પાંગરી. સ્થાપત્ય: મુસ્લિમ સંસ્કૃતિના પ્રતીક જેવાં મકાને, મજીદે અને મકબરાઓ આ યુગમાં બાંધવામાં આવ્યાં. અમદાવાદની જામે મજીદ અને અન્ય મકાને, સરખેજને રેજે, વગેરે તેના નમૂના છે. આ સ્થાપત્યમાં હિંદુ અસર ભૂંસી નાખી શુદ્ધ ઈરાની કે અરબ સ્થાપત્યના નિયમને અપનાવવામાં આવ્યા છે. તેમ છતાં દાદા હરિની વાવ જેવા અપવાદો પણ જોવામાં આવે છે. 1. મિયાણા : આ પ્રદેશમાં સિંધ તરફથી બહુ પાછળના સમયમાં આવ્યા હોવાનું જણાય છે. વોટ્સન પ્રમાણે માળિયા-ઠાકોર મેડજીએ તેમને બેલાવેલા. મેડછ ઇ. સ. ૧૭૩૪માં હતા. પણ લેખકને મિંયાણુના એક આગેવાન ગૃહસ્થ તરફથી મળેલી હકીકત મુજબ તેઓ મહમુદ બેગડાના રાજઅમલ દરમિયાન અહીં આવેલા.
SR No.032733
Book TitleSaurashtrano Itihas
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad H Desai
PublisherSaurashtra Sanshodhan Mandal
Publication Year1957
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy