SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 48 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગણું લેવામાં અને જે રીતે એ પરિણામ ઉપજી આવે છે તે રીતનું ટું ખ્યાન કરવામાં એ સિદ્ધાંતની ભૂલ થાય છે. આપણામાં અત્યારે જે નૈતિક મનેભાવ રહેલા હોય તેમને સાબીત કરી આપવા અને પછી તે કેમ રચાયા હશે તેનું કેવળ તર્કના આધારે અનુમાન બાંધવું એટલુંજ કામ માત્ર નીતિના તત્વચિંતનમાં અવેલેકનનું નથી, પરંતુ તેમની રચનાની બધી અવસ્થાઓનું બારીક અવલોકન થવું જોઈએ. વળી પિતાનો મત અનુભવજન્ય છે એમ અનુભવવાદીઓ કહે છે, પરંતુ અનુભવ શબ્દનો અર્થ પણ સ્પષ્ટ થવાની જરૂર છે. ખરું બેટું જાણવાની કઈ સ્વભાવસિદ્ધ શક્તિ કે વૃત્તિ આપણામાં રહેતી નથી અને વર્તનના જૂદા જૂદા પ્રકારમાં ખરું સુખ વધારવાનું ઓછું કરવાનું જે વલણ રહેલું છે તે વલણના અનુભવ ઉપરથી જ ખરા ખોટાને ખ્યાલ આપણને આવે. છે એમ જે માનતો હોય તેને જ નીતિશાસ્ત્રમાં યથાર્થ અનુભવવાદી કહેવાય. છતાં કેટલાક એમ માનતા જણાય છે કે આપણું નૈતિક વિચારોના મૂળને નિર્ણય અનુભવ કિવા વ્યાપ્તિ-પ્રયોજક અનુમાનથી થવો જોઈએ એ વાત માત્ર અનુભવવાદીઓ જ સ્વીકારે છે. પરંતુ આ માન્યતા કેવળ ભૂલ ભરેલી છે, કારણ કે એ અર્થમાં તે આંતરવાદીઓ પણ અનુભવવાદી જ છે. આચરણને પાયો અને તેના સિદ્ધાંતને પાયે એ ભિન્ન ભિન્ન વાત છે. જે વાદીઓ નૈતિક શક્તિનું અસ્તિત્વ માને છે તેઓ અનુભવથી સ્વતંત્ર પિતાના સિદ્ધાંતોના સૂત્ર તરીકે એ વાતને સ્વીકારી લેતા નથી, પરંતુ વ્યાપ્તિ-પ્રયોજક અનુમાનને સખ્ત પ્રયોગ કર્યા પછી જ તેનું સત્ય તેઓ માને છે. પિતાની વર્તમાન નૈતિક વૃત્તિઓને તપાસી તેમનું પૃથક્કરણ અને વર્ગીકરણ તેઓ કરે છે, બીજી વૃત્તિઓથી આ વૃત્તિઓ કેવી રીતે જૂદી છે તેનો નિર્ણય કરે છે, જૂદા જૂદા મનભાવને પગલે પગલે ચાલી તેમનું નિરીક્ષણ કરે છે, અને જ્યારે તેમને માલુમ પડે છે કે બીજી વૃત્તિઓથી તેઓ અત્યંત ભિન્ન છે અને આગળ તેમનું પૃથ્થકરણ થઈ શકતું નથી ત્યારે જ તેમને એક ખાસ શકિતના હવાલામાં તેઓ સેંપી દે છે.
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy