SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. કાળજી, જાણી જોઈને કરેલી અને અજાણતાં થએલી ઈજા વચ્ચે તેમજ શની આવશ્યક્તા, સ્વાર્થના અંશથી અવશ્ય ઓછી થતી નીતિની કિંમત, આબરૂ કે ઉપકારના પ્રસંગે જે માણસ પોતાના સ્વાર્થની ગણત્રી કરવા બેસે તેના પ્રત્યે ઉપજતે ધ, બીજા બધા મનોભાવથી કાંઈ જુદા જ પ્રકારને થતે પશ્ચાતાપને પ્રભાવ, ઇત્યાદિ એની મેળે ઉપજતા અને સાર્વત્રિકો અભિપ્રાયથી એમ જ સિદ્ધ થાય છે કે સ્વાર્થ વૃત્તિ અને સદાચારની વૃત્તિમાં ઘણે ફેર છે. સુખ શોધવું અને દુઃખ તજવું, એવું આપણું સ્વભાવનું બંધારણ છે; તે સિવાય જેમ તેને માટે બીજું કારણ આપી શકાતું નથી, તેવી જ રીતે “વાજબી’ અને ‘ગેરવાજબી " શબ્દ પણ આપણા જીવનના અંતિમ બુદ્ધિગ્રાહ્ય પ્રયોજનોનું આપણને ભાન કરાવે છે. આ પ્રજને બીજથી કેવળ ભિન્ન છે, ઉંચા પ્રકારના છે અને કર્તવ્યનું ભાન તેમની સાથે જોડાએલું છે, એવું ભાન આપણને થાય છે. નીતિના જે સિદ્ધાંતમાં આ હકીકત કહી ન હોય તે સિદ્ધાંત, જે વૃત્તિઓનું આપણને અંતરમાં ભાન થાય છે તેમનું બરાબર અને યથાસ્થિત ખ્યાન કરવામાં નિષ્ફળ થાય છે. વ્યાજે નાણું આપવામાં જેમ ઉદારતાં લેખાતી નથી, તેમ કોઈપણ સુખ મેળવવાની આશાએ આપેલા સુખના ભોગને સદાચાર કોઈ કહેતું નથી. શુદ્ધ નિઃસ્વાર્થ વિના સગુણ અંશ બનતા જ નથી. અને નીતિના જાજવલ્યમાન કાર્યો પ્રત્યે જે આવિર્ભાવ આપણને થાય છે, તે સઘળાનું મૂળ એ જ છે. દુઃખ અને સંકટ તથા માનસિક વેદના અને અકાળ મૃત્યુ ભોગવીને, અને મુઆ પછી મળવાના બદલાની આશા વિના જેને પિતે નીતિનો માર્ગ ગણે છે તે માર્ગનું ગ્રહણ માણસથી થઈ શકે એમ છે એમ આપણને લાગે છે. આપણા જીવનને એ મહાન ખાસ હક છે, અને માનુષી અને દૈવી પ્રકૃતિએને ત્યાં મિલાપ થાય છે. છતાં જનહિતવાદ પ્રત્યે લોક આકર્ષાય છે તેનું એક કારણ એ છે કે જે નૈતિક ગુણની ઉત્પત્તિ એ સિદ્ધાંતથી ઘણું કરીને થઈ શકે એમ આપણને લાગે છે તે ગુણેને આવિર્ભાવ સમાજની અમુક અવસ્થામાં એની
SR No.032732
Book TitleEuropiya Prajana Acharanno Itihas
Original Sutra AuthorN/A
AuthorNarbheshankar Pranjivan Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1917
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy